Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં તરબૂચની ખેતી કરનારાઓને ઓછો વેચાણ ભાવ મળતાં ઉત્પાદકો ચિંતિત.

Share

ઉનાળામાં વધુ પ્રમાણમાં તરબૂચનું ખરીદ વેચાણ થતું હોય છે ત્યારે ઝઘડિયા તાલુકાનાં કેટલાક વિસ્તારોમાં તરબૂચનો પોષણક્ષમ ભાવ પ્રાપ્ત નહીં થતા ઉત્પાદકોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. નર્મદા તટ વિસ્તાર સહિત વિવિધ ખાડીઓનાં કાંઠા પર આવેલા ખેતરોમાં કેટલાક ખેડૂતોએ તરબૂચની ખેતી કરી છે તરબૂચનું ઉત્પાદન પણ વધુ પ્રમાણમાં હોવાનું ખેડુતો જણાવી રહયા છે પરંતુ હાલમાં કોવીડ-19 અન્વયે લોકડાઉનની પણ માઠી અસર થતાં પાકનું વેચાણ કરવામાં મુશ્કેલી સર્જાઈ છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ સૂમસામ છે જેથી તરબૂચનું છુટક વેચાણ પણ શકય નથી. જેથી ઉત્પાદકોને પોતાના ખેતરોની બહાર તેમજ નજીકનાં ગામડાંઓમાં જઈને વેચાણ કરવું પડે છે. પંરતુ ઉંચો વેચાણ ભાવ મળતો નથી પ્રતિ કિલો દીઠ માત્ર 20 ના ભાવે વેચાણ કરાયું છે. જેના પગલે પાકનો માવજત ખર્ચ, મજૂરીનો ખર્ચ મળતો નથી જેના પગલે આથિઁક નુકશાન થઇ રહ્યુ છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : વડતાલ મંદિર દ્વારા વિદ્યાર્થીઓને પતંગ અને ચીક્કીનું વિતરણ કરાયું.

ProudOfGujarat

સફાઈ અભિયાનમાં યોગદાન આપવા બદલ શ્રેષ્ઠ સફાઈ કામદાર અને શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનું સન્માન કરાયું

ProudOfGujarat

એક મહિના સુધી શુભ પ્રસંગો પર બ્રેક : કમુરતા શરૂ થતા લગ્નની શરણાઈનો સુર સાંભળવા મળશે નહીં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!