Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જીલ્લામાં મનરેગા યોજના હેઠળ કામો શરૂ કરવામાં આવ્યાં.

Share

પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુથી તળાવો અને ચેકડેમ ઊંડા કરવાની કામગીરી મનરેગા યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં ૫૨ કામોની શરૂઆત થતા ૬૦૦ શ્રમિકો કામમાં જોડાવાની સાથે ૧૮૩ પૈકીના કામોની શરૂઆત થઈ ચૂકી છે. લોકડાઉન ચાલી રહ્યુ છે. રોજગારીની સમસ્યાઓ ઉભી છે.તેની વચ્ચે પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક શ્રમિકોને ઘર આંગણે રોજગારી મળી રહે એવા આશય સાથે સરકારની સુજલામ સુફલામ જળ અભિયાન યોજના અંતર્ગત તળાવો ઊંડા કરવા અને ચેકડેમની કામગીરીનો પ્રારંભ થયો છે. કોરોના વાયરસ સંક્રમણ સામે સાવચેતીના પગલાં સાથે જેવા કે સોશ્યલ ડિસ્ટન્સ,માસ્ક સહિતની બાબતોનું પાલન કરી કામગીરીનો સોમવારથી પ્રારંભ કરાયો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત જિલ્લામાં કુલ ૧૮૩ જેટલા કામો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તળાવો અને ચેકડેમમાં ચોમાસામાં વધુ પાણીનો સંગ્રહ થાય અને ભૂગર્ભ જળ સ્ત્રોત રિચાર્જ થાય એવો છે. જેમાં પણ હાલ ડીઆરડીએ મારફતે શરૂ કરાયેલા તમામ કામોમાં લોકડાઉન વચ્ચે સ્થાનિક શ્રમિકોને ગામમાં જ કામ મળી રહેવાથી આવક થઈ શકે એવો આશય છે.જિલ્લામાં હાલ કામોનો પ્રારંભ થઇ ચુક્યો છે. જેમાં ૬૦૦ ઉપરાંત શ્રમિકો રોજગારી મેળવતા થયા છે.હાલોલ તાલુકાનાં મોટી રણભેટ તળાવ, અભેટવા તળાવ, આબાવાડીયા, જેપુરા, અમરાપુરા ચેકડેમનાં કામો કરવામાં આવી રહ્યા છે. જેમાં મંગળવારે મોટી રણભેટ તળાવનું ખાત મુહુર્ત કરી કામ શરૂ કરવામાં આવ્યું છે.આમ ગ્રામીણ વિસ્તારને રોજગારી આપવાનું શરૂ કરવામા આવ્યું છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

આંતરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાનારાઓ ભરૂચ જિલ્લામાં મહિલાઓની દારૂણ અને કરૂણ પરિસ્થિતિ અંગે કંઈક કરશે ખરા કે માત્ર સંમેલનો અને સમારંભો યોજીને સંતોષ માનશે

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના પ્રમુખનાં જાતિના પ્રમાણપત્રના વિવાદનો મામલો : ભરૂચ કલેકટર, ચૂંટણી અધિકારી, મ્યુનિસિપલ કમિશનર પાલિકા પ્રમુખને હાઈકોર્ટમાં હાજર થવા ફરમાન..

ProudOfGujarat

संदीप सिंह ने कहा देश के लिए जीतना ही उनका परम उद्देश्य है!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!