Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં વધુ ત્રણ દર્દીઓને કોવીડ હોસ્પિટલમાંથી રજા અપાઈ જીલ્લો કોરોના મુકત બનશે.

Share

ભરૂચ જીલ્લો આજે કોરોના મુકત થઈ રહ્યો છે વધુ ત્રણ કોરોનાનાં દર્દીઓ સાજા થતાં જયાબેન મોદી કોવીડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભરૂચ જીલ્લામાં ઇખર ગામનાં ધર્મ પ્રચારકોથી કોરોનાની શરૂઆત થઈ હતી. જોકે તમામ ધર્મ પ્રચારકો એક બાદ એક સાજા થયા હતા ત્યાં તેમની સારવાર દરમ્યાન સિવિલ હોસ્પિટલનાં તબીબ તેમજ લેબ ટેકનિશિયન, નર્સને ચેપ લાગતાં તેઓ પણ સંક્રમિત થયા હતા અને જયાબેન મોદી હોસ્પિટલમાં કુલ 27 લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે ભરૂચ જીલ્લામાં લગભગ 1500 જેટલાં લોકોને હમણાં સુધીમાં હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જયારે આજે ભરૂચ જીલ્લામાંથી 3 કોરોના સંક્રમિત એવા મુંડા ફળિયાનાં રહીશ ફરહાના શેખ તેમની પુત્રી અસફિયા શેખ તેમજ કસકનાં અપ્સરા એપાર્ટમેન્ટમાં રહેતા મોઈન સૈયદને આજે સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

હાજર તબીબ તેમજ સ્ટાફ દ્વારા તેઓને તાળીઓનાં અભિવાદન હેઠળ ઘરે મોકલવામાં આવ્યા હતા. આમ ભરૂચ જીલ્લાનાં તમામ કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થતાં જીલ્લો કોરોના મુકત થયો છે. હવે માત્ર અમદાવાદનાં બે ટ્રક ચાલકની સારવાર ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લામાં ૪૩ શાળાઓમાં ૧૧૪ જેટલી આરોગ્યની ટીમો ૧૫-૧૮વર્ષના બાળકોને કોરોના રસીકરણ કરશે.

ProudOfGujarat

ભરૂચ નજીક નેશનલ હાઈવે નં. 8 ઉપર ટ્રેલર અને અલ્ટો કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત.

ProudOfGujarat

માંગરોળ : મંત્રીશ્રી, ગણપત ભાઇ વસાવા(આદિ જાતિવિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ ) દ્વારા આરોગ્ય વિભાગ કર્મચારીઓને ઉત્તમ સેવા કાર્યને બિરદાવી સન્માન પત્ર આપવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!