Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાનાં મોહન ફળિયામાં તસ્કરો દ્વારા એક ઘરનો પાછળનો દરવાજો તોડી કુલ રૂ. ૫૭,૪૦૦ નાં મુદ્દામાલની ચોરી કોઈ અજાણ્યા ઇસમો કરી ગયા હતા.

Share

ઝઘડિયાનાં મોહન ફળિયામાં રહેતી ગીતાબેન સુરેશભાઈ વસાવાનાં ઘરને ગતરોજ રાત્રીએ તસ્કરો દ્વારા નિશાન બનાવી હજારો રૂપિયાનાં સોના ચાંદીનો ઘરેણાં તથા રોકડા રૂપિયાની ચોરી કરી ગયા છે. ગતરોજ રાત્રિએ ગીતાબેન તેમના પરિવાર સાથે જમી પરવારી સુઈ ગયા હતા. રાત્રીનાં કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના ઘરનો પાછળનો દરવાજાનાં કોઈ સાધન વડે નચુકા કાઢી દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં રાખેલ તિજોરીમાંથી તસ્કરો દ્વારા બે ચાંદીના સાંકડા, બે સોનાની વિટી, એક જોડ સોનાની બુટ્ટી, એક જોડ સોનાની કડીઓ, ચાર નંગ ચાંદીની લકી કુલ રૂ. ૨૮,૯૦૦ તેમજ રોકડા રૂપિયા ૨૮,૦૦૦ મળી કુલ રૂ. ૫૭,૪૦૦ નાં મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ગીતાબેન સુરેશભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

છુટાના બદલે ચોકલેટ આપવા મુદ્દે મેડિકલ સંચાલક પર ત્રણ જણાનો હૂમલો

ProudOfGujarat

ભરૂચ-હાઇવા ટ્રક બસ સ્ટેન્ડ માં ઘુસી-હાલત એવી કરી આ ગામ નું બસ સ્ટેન્ડ જ ગાયબ થઇ ગયું-જાણો ક્યાં બની ઘટના…

ProudOfGujarat

ને.હા.48 પર નબીપુર પાસે ટેમ્પો, રીક્ષા અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!