Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં સરકારી વાઘપુરા ગામની સીમમાં મૃત હાલતમાં દીપડો મળ્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વિપુલ પ્રમાણમાં વન સંપતિ આવેલી છે. તાલુકાના રતનપુર નજીકના જંગલની આજુબાજુના વિસ્તારોમાં તેમજ નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દીપડાઓ વસવાટ કરે છે. આજે તાલુકાના સરકારી વાઘપુરા ગામની સીમમાં એક દીપડો મૃત હાલતમાં પડયો હોવાનું જણાતા ખેડૂત દ્વારા તે બાબતે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. દીપડો પુખ્ત વયનો જણાતો હતો અને છેલ્લા ત્રણેક દિવસથી તેનું મોત થયુ હોવાનું પ્રથમ નજરે જણાતુ હતું. જેથી તેની બોડી ડીકમ્પોઝ થયેલ હતી. ખેડૂત દ્વારા ઝઘડીયા વન વિભાગનો સંપર્ક કરી મૃત દીપડા વિશે માહિતી આપવામાં આવી હતી. મૃત દીપડાની ડીકમ્પોઝ થયેલ બોડીનુ સ્થળ પર જ પી.એમ કરાયુ હતું. મરણ પામેલ પુખ્ત નર દિપડાની ઉંમર આશરે પાંચ વર્ષની હતી અને લંબાઈ આશરે પાંચ ફુટ જેટલી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : બાઇક ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ, ચોરીની ૧૯ મો.સા સાથે ટોળકી ઝડપાઈ.

ProudOfGujarat

દહેજની સરસ્વતિ ટાઉનશીપમાં બમ્પના કારણે કાબુ ગુમાવતાં એક્ટીવા ચાલક પટકાયો : સારવાર વેળાં મોત

ProudOfGujarat

અરવલ્લી જિલ્લાના 250 થી વધુ ખેડૂતો દિલ્હીના રામલીલા મેદાને પહોંચ્યા, પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!