Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મગરનો ભોગ બનેલ રાજપારડીનાં યુવાનની વિધવાને સાંસદનાં હસ્તે 4 લાખનો ચેક અર્પણ કરાયો.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડીનાં પાંચ જેટલા યુવાનો ગઇ તા.૧૦ ઓક્ટોબરનાં રોજ જુનાપોરા ગામ નજીક નર્મદા નદીમાં માછલી પકડવા ગયા હતા. યુવાનો તેમની કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે નદીમાં એકાએક એક મગરે હુમલો કરીને આ પાંચ યુવાનો પૈકી દિનેશ ડાહ્યાભાઈ વસાવા નામના ૩૫ વર્ષીય યુવાનને નદીમાં ખેંચી ગયો હતો. તેની સાથેના યુવાનોએ દિનેશને મગરની પકડમાંથી છોડાવવા પ્રયત્ન કર્યા પણ તેમાં સફળતા ન મળતા મગર યુવાનને ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો. બાદમાં ત્રીજા દિવસે યુવાનનો ખવાયેલો મૃતદેહ નદીમાં તરતો મળ્યો હતો. રાજપારડી રાઉન્ડ ફોરેસ્ટર મહેશભાઇ વસાવાના જણાવ્યા મુજબ તાજેતરમાં સરકાર તરફથી મૃત યુવાનની પત્ની સવિતાબેન વસાવાને ભરૂચ વનવિભાગની ઓફિસ ખાતે સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે રૂ. 4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ વનવિભાગના ડી.એફ.ઓ.રાજ પટેલ તેમજ આર.એફ.ઓ. વિજયભાઇ તડવી ઉપસ્થિત રહ્યા હતા. મૃતકની પત્નીને રાહત રૂપે રૂ. 4 લાખનો ચેક અપાતા આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

ઇખર ગામના સબ સેન્ટર ખાતે અારોગ્ય સાંસદની ઉજવણી કરાઇ…

ProudOfGujarat

ફાગણી પૂનમના મેળા માટે એસ.ટી વિભાગ વધુ ૪૩૫ બસો દોડાવશે.

ProudOfGujarat

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 2 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!