Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં રાણીપુરા ગામે શિવરાત્રિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ગામે આવેલ જગન્નાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે બર્ફાની બાબાના શિવલિંગની સ્થાપના કરાશે. ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે આવેલા પૌરાણિક શિવાલયમાં શિવરાત્રી નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. રાણીપુરા ખાતે આવેલ જગન્નાથ મહાદેવ મંદિર ખાતે રાણીપુરાના ગ્રામજનોના સહયોગથી શિવરાત્રી નિમિત્તે બર્ફાની બાબા બરફના શિવલિંગની સ્થાપના કરવામાં આવનાર છે. આ ઉપરાંત રાણીપુરા ખાતે શિવરાત્રી નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞ તથા મહાઅભિષેકના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શિવરાત્રી નિમિત્તે બરફનાં શિવલિંગનાં દર્શનનો લાભ લેવા મંદિર સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજ્યમાં 18 થી 44 વર્ષનાં લોકોએ રસીકરણ માટે હજુ જોવી પડશે રાહ !

ProudOfGujarat

વડોદરા ખાતે નેશનલ મેડિકલ કાઉન્સિલ અમલી બનાવવા 2500 જેટલા તબીબોની હડતાળ

ProudOfGujarat

છોટાઉદેપુરનાં સંખેડામાં વીજળી પડવાની ઘટનામાં માનવ મૃત્યુ સહાય રૂ. 4 લાખની સહાય કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!