Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ગામે કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું.

Share

દેશમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યુ છે. હાલમાં કોરોનાની બીજી લહેર ઝડપભેર ફેલાઈ રહી છે, ત્યારે ભારતમાં બનેલી સ્વદેશી કોરોના વેક્સિનનો ડોઝ દેશના તમામ નાગરિક સુધી પહોંચી શકે તે માટે સરકાર દ્વારા મહા અભિયાન ચલાવાઇ રહ્યું છે. આ સંદર્ભે આજરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ગોવાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

અત્રે આયોજિત કોરોના વેક્સીનના કાર્યક્રમના પહેલા દિવસે રાણીપુરા ગામના ૫૦ થી વધુ લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. રવિવાર હોવા છતાં ગોવાલી પી.એસ.સી દ્વારા કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને વધુમાં જાણવા મળ્યા મુજબ સોમવારે પણ કોરોનાનું વેકસીનેશન ચાલુ રહેશે. ત્રણ દિવસ ચાલનારા વેકસીનેશનના કાર્યક્રમમાં રાણીપુરા ખાતે વેકસીન પ્રત્યે સારો‌ પ્રતિસાદ જોવા મળ્યો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્વ.અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયો નિઃશુલ્ક દિવ્યાંગ કેમ્પ.

ProudOfGujarat

નવસારી હાઈવે પર બાઈક સ્લીપ થતાં બે યુવકનું મોત નીપજયું

ProudOfGujarat

અંકલેશ્વરમાં મોહરમના પર્વ નિમિત્તે એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે મુસ્લિમ બિરાદરો સાથે ખાસ બેઠક યોજાઈ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!