Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ગામે કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું.

Share

દેશમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યુ છે. હાલમાં કોરોનાની બીજી લહેર ઝડપભેર ફેલાઈ રહી છે, ત્યારે ભારતમાં બનેલી સ્વદેશી કોરોના વેક્સિનનો ડોઝ દેશના તમામ નાગરિક સુધી પહોંચી શકે તે માટે સરકાર દ્વારા મહા અભિયાન ચલાવાઇ રહ્યું છે. આ સંદર્ભે આજરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ગોવાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

અત્રે આયોજિત કોરોના વેક્સીનના કાર્યક્રમના પહેલા દિવસે રાણીપુરા ગામના ૫૦ થી વધુ લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. રવિવાર હોવા છતાં ગોવાલી પી.એસ.સી દ્વારા કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને વધુમાં જાણવા મળ્યા મુજબ સોમવારે પણ કોરોનાનું વેકસીનેશન ચાલુ રહેશે. ત્રણ દિવસ ચાલનારા વેકસીનેશનના કાર્યક્રમમાં રાણીપુરા ખાતે વેકસીન પ્રત્યે સારો‌ પ્રતિસાદ જોવા મળ્યો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ઉકાઈ માઇનોર કેનલોનું પાણી સત્વરે ચાલુ કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત.

ProudOfGujarat

ટ્રાન્સપોર્ટરો દ્વારા નારી ચોકડી નજીક ચક્કાજામ

ProudOfGujarat

લીંબડીના શિયાણી ગામે ડીસ્ટ્રી કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!