Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા : શુક્ર, શનિ ‍અને રવિવારે રાજપારડી બજાર ખુલ્લું રહેશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરનું બજાર શુક્ર શનિ અને રવિવારના રોજ ખુલ્લુ રહેશે. રાજપારડી ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ પી.સી.પટેલે એક જાહેર નિવેદનમાં આગામી શુક્ર, શનિ અને રવિવારના રોજ રાજપારડીનું બજાર ખુલ્લું રહેવા અંગે જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ પહેલાના શુક્ર, શનિ અને રવિવારના રોજ કોરોના સંક્રમણને વધતુ અટકાવવાના પગલારૂપે રાજપારડી બજાર બંધ રાખવામાં આવ્યુ હતુ. જોકે તા.૨૧,૨૨ અને ૨૩ મે શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ રાજપારડી બજાર ખુલ્લુ રહેશે એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયુ હતુ. કાર્યકારી સરપંચ પી.સી.પટેલે એક ઓડિયો સંદેશ દ્વારા નગરનું બજાર ખુલ્લુ રહેવા સંબંધી જાહેર નિવેદન બહાર પાડ્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપળામાં ત્રણ દિવસ લોકડાઉન : પ્રથમ દિવસે તમામ બજારો જડબેસલાક બંધ જોવા મળ્યા.

ProudOfGujarat

જંબુસર તાલુકાના સારોદ ગામના સરપંચ નો ચાર્જ સાંભળતા સોફિયાબેન

ProudOfGujarat

નેત્રંગમાં વાહન પાર્કિંગની સુવિધાનાં અભાવે ટ્રાફિક જામની સમસ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!