Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા : શુક્ર, શનિ ‍અને રવિવારે રાજપારડી બજાર ખુલ્લું રહેશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરનું બજાર શુક્ર શનિ અને રવિવારના રોજ ખુલ્લુ રહેશે. રાજપારડી ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ પી.સી.પટેલે એક જાહેર નિવેદનમાં આગામી શુક્ર, શનિ અને રવિવારના રોજ રાજપારડીનું બજાર ખુલ્લું રહેવા અંગે જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ પહેલાના શુક્ર, શનિ અને રવિવારના રોજ કોરોના સંક્રમણને વધતુ અટકાવવાના પગલારૂપે રાજપારડી બજાર બંધ રાખવામાં આવ્યુ હતુ. જોકે તા.૨૧,૨૨ અને ૨૩ મે શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ રાજપારડી બજાર ખુલ્લુ રહેશે એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયુ હતુ. કાર્યકારી સરપંચ પી.સી.પટેલે એક ઓડિયો સંદેશ દ્વારા નગરનું બજાર ખુલ્લુ રહેવા સંબંધી જાહેર નિવેદન બહાર પાડ્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ચાવજ ગામ ખાતે ગુજરાત રાજ્યના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આંનદીબહેન પટેલના 77માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

કરણ જોહરથી મોઝેઝ સિંઘ સુધી: દિગ્દર્શકો જે સિનેમાને ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન સ્ટાઇલ દ્વારા ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે

ProudOfGujarat

પીએમ કિશાન એપ ડાઉનલોડ કરતાં શખ્સના ખાતામાંથી 10 લાખ છૂમંતર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!