Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝઘડિયા જીઆઇડીસીને જોડતા મોર તળાવ તલોદરાના રસ્તા પર સાંકડા નાળાથી સ્થાનિકોને ભારે હાલાકી.

Share

ઝઘડિયા તાલુકા જીઆઇડીસીને જોડતા મોર તળાવથી તલોદરા ગામો વચ્ચેના માર્ગ પર એક સાંકળુ નાળુ આવેલ છે. આ નાળુ ખુબ નીચુ હોવાથી ચોમાસામાં નાળા ઉપરથી પાણી જાય છે. નાળુ મોટું બનાવવા આ પંથકના ગામોની જનતામાં માંગ ઉઠવા પામી છે. મોર તલાળથી તલોદરા ગામને જોડતા માર્ગ પર આવેલી ખાડી પરનું નાળુ નીચુ હોવાથી ચોમાસામાં જીઆઇડીસીમાં કામે જતા કામદારો ઉપરાંત સ્થાનિક જનતાને મોટી હાલાકિ ભોગવવી પડે છે. મોર તળાવ ગામના સરપંચે આ બાબતે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં કોઇ પરિણામ આવ્યુ નથી. હાલ ચોમાસું શરુ થયુ છે. ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદે પણ નાળા પરથી પાણી વહેતુ હોય છે. ત્યારે ઝઘડીયા વાલિયા તાલુકામાંથી જીઆઇડીસીમાં કામે જતા કામદારો તેમજ સ્થાનિક જનતાના હિતમાં તાકીદે નાળુ મોટુ બનાવવા ઘટતુ કરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ આહીર સમાજ દ્વારા રંગુન જનરલ હોસ્પિટલમાં કોવિડ-19 ની સારવાર હંગામી ધોરણે શરૂ કરવામાં આવશે.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં મંગળવારે પાણી પુરવઠો નહીં મળે

ProudOfGujarat

પંચમહાલ : કાકણપુર પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા એક નવું અભિયાન શરૂ, ફ્રી માસ્કનું વિતરણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!