Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેરમાં મંગળવારે પાણી પુરવઠો નહીં મળે

Share

। ભરૂચ ।
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ૨૨ કેવી સ્વામીનારાયણ ફીડર પર મેઈન્ટેનન્સ માટે બુધવારે વીજકાપ રાખવામાં આવ્યો છે. જેના કારણે ૨૨ કેવી સ્વામીનારાયણ ફીડર તરફથી અયોધ્યા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને માતરિયા ઈન્ટેકવેલ પર અપાતો વીજ પુરવઠો સવારના ૮થી સાંજના ૪ કલાક સુધી બંધ રાખવામાં આવનાર હોવાથી બુધવારે સવારે ૮ વાગ્યાથી તમામ ટાંકી પરથી અપાતો પાળી પુરવઠો બંધ રાખવામાં આવશે. જેથી શહેરના લોકોને પાણીનો સંગ્રહ કરી રાખવા સહિત સાચવીને વપરાશ કરવા માટે ભરૂચ નગરપાલિકાના મુખ્યઅધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી છે. ૧૮મીએ ગુરુવારથી તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો મળશે તેમ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Share

Related posts

ભરૂચ : વાલિયાનાં કવચિયા પાસે બાઇક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે વ્યક્તિઓનાં મોત નીપજયાં.

ProudOfGujarat

ભરૂચ : લોક ડાઉન વચ્ચે આદિવાસીઓનાં ખેતરો લૂંટવા સરકારે આદિવાસીઓનાં ખેતરોની માપણી શરૂ કરી.

ProudOfGujarat

ઇંગ્લીશ દારૂનાં જથ્થા સહિત કુલ રૂ.૧૧,૫૧,૨૦૦/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!