Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયામાં વાહન ચોરીના વધતા બનાવોથી જનતા ચિંતિત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વાહન ચોરો બેફામ બન્યા હોવાની વાત સામે આવી છે. જે વાત તાજેતરના અઠવાડિયામાં થયેલ વાહન ચોરીની ઘટનાઓ પરથી ફલિત થાય છે. જેસપોર ગામેથી બે ઇકો કારની ચોરી, ઝઘડિયા ટાઉનમાંથી બે મોટરસાઈકલોની ચોરી કરી તેના ટુકડા કરી નંખાયા અને ત્યાર બાદ આજરોજ વધુ બે મોટરસાયકલોની ઉઠાંતરી થતા તાલુકાની જનતા ચિંતિત બની છે.

ગતરોજ ઝઘડિયા ટાઉનમાંથી એક સાથે બે મોટરસાયકલોની ચોરી થવા પામી હોવાની ઘટના બનવા પામી છે. ઝઘડિયાના હનુમાન ફળિયામાં રહેતા સાર્થક રમાકાંત પુરોહિત તથા પ્રતાપસિંહ જવાહરસિંહ પવારે તેમની મોટરસાઇકલો લોક કરીને ઘરની બહાર પાર્ક કરેલ હતી, જે બંને મોટરસાયકલો પેંધા પડેલા ચોરો દ્વારા લોક તોડીને ઉઠાંતરી કરવામાં આવી હતી. કુલ રૂ.૭૫ હજારની કિંમતની આ બે મોટરસાઈકલોની ચોરી થતા સાર્થક રમાકાંત પુરોહિતે ઝઘડિયા પોલીસ મથકમાં મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં હાલ પેંધા પડેલા વાહનચોરોને જાણે કોઇનો ડર રહ્યો હોય એમ લાગતુ નથી, અને આવા વાહનચોરો જાણેકે કાયદાની એસી કી તેસી કરીને બિંદાસ રીતે વાહન ચોરીને અંજામ આપતા દેખાય રહ્યા છે. લોકોના વાહનોની ઉઠાંતરી કરીને જાણે પોતાના બાપની મિલકત હોય એમ વેચી નાંખતા ઉઠાવગિરોને ઝડપી લેવા તાકીદે ઘટતા પગલા ભરાય તે ઇચ્છનીય છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

વિરમગામ શહેરમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ગોધરા રેલ્વે સ્ટેશન પરના રિક્ષાચાલકો દ્વારા લેવાતા બમણા ભાડાથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

ભરૂચ ના પાલેજ ગામ. નજીક નેશનલ હાઇવે ૮ ઉપર જ રોજ સવાર ના સમયે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત માં એક નું મોત તેમજ ત્રણ યક્તિઓ ઘાયલ થયા હતા ………

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!