Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા ખાતે ૨૨૨ મી જલારામ જયંતિની ઉજવણી કરાઈ.

Share

ભરુચ જિલ્લાના ઝઘડિયા ખાતે જલારામ ભક્તો દ્વારા ચાલુ સાલે જલારામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા, મહાઆરતી તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ઝઘડિયા ખાતે વર્ષોથી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ ઝઘડિયા ખાતે જલારામ બાપાની ૨૨૨ મી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જલારામ જયંતિ કાર્યક્રમ ઉજવણીના અગ્રણી કનુભાઈ દોશીએ જણાવ્યુ કે તેમના મંડળ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ જલારામ બાપાની પાદુકાની શોભાયાત્રા થાણા ફળિયાથી નીકળી હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી. આરતી બાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ જયંતિની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

બુલેટ ટ્રેનની મંથરગતિએ ચાલી રહેલી કામગીરીને વેગ મળે તે માટે રાજય સરકાર દ્વારા એક મહત્વનુ પગલુ ભરવામાં આવ્યું.

ProudOfGujarat

છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પત્રકાર એકતા સંગઠનની છોટાઉદેપુર જીલ્લા કારોબારીની રચના કરાઇ.

ProudOfGujarat

નડિયાદ તાલુકાનાં જોરાપુરામાં કાદવવાળા રસ્તે ટેન્કર ફસાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!