Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પત્રકાર એકતા સંગઠનની છોટાઉદેપુર જીલ્લા કારોબારીની રચના કરાઇ.

Share

ગુજરાત રાજ્યના ૩૦ જિલ્લાઓમાં કારોબારી ધરાવતા રાજ્યના એકમાત્ર પત્રકાર એકતા સંગઠન દ્વારા તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ નવીન કારોબારીની રચના કરવા માટેની બેઠકોનો દોર ગુજરાત પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ રહ્યા છે જે અંતર્ગત તારીખ ૩ એપ્રિલ 2022 રવિવારે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે છોટાઉદેપુર જીલ્લાની કારોબારીની રચના કરવા માટે એક બેઠકનું આયોજન પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવુ હતું, જેમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર બોડેલી સંખેડા કવાંટ નસવાડી અને છોટાઉદેપુર તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સર્વાનુમતે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ તરીકે છોટાઉદેપુરના સંજયભાઈ મહેશ્વરી, ઉપ-પ્રમુખ તરીકે નસવાડીના અલ્લારખા પઠાણ, સંખેડાના સંજય ભાટીયા, બોડેલીના મકબુલભાઈ મન્સૂરી, પાવીજેતપુર તાલુકાના વિનેશભાઈ રાઠવા, મહામંત્રી તરીકે કવાટના યશવંતભાઈ ચૌહાણ, છોટાઉદેપુરના ઈકબાલભાઈ શેખ, નસવાડીના ઇરફાનભાઇ મેમણ, સંખેડાના સલીમભાઈ શેખ જ્યારે મંત્રી તરીકે બોડેલીના સેહજબભાઈ ખત્રી, પાવીજેતપુર તાલુકાના ઈમરાનભાઈ સિંધી, કવાટ તાલુકાના વિકેશભાઈ શાહ, છોટાઉદેપુરના માજીદ ખાન પઠાણ તેમજ સહમંત્રી તરીકે છોટાઉદેપુર ધર્મેશ ભાઈ ચૌહાણ, જફર ભાઈ મકરાણી, ખજાનચી તરીકે તેજગઢના માજીદભાઈ ખત્રી, આઇ.ટી. સેલ ના છોટાઉદેપુરના તોફીક ભાઈ શેખની તેમજ ઝોન પ્રભારી તરીકે જમીન ખાન પઠાણ તેમજ પ્રદેશ કારોબારીના સભ્ય તરીકે શઈદ ભાઈ સોમરાની સર્વાનુમતે વરણી કરવામાં આવતા ઉપસ્થિત તમામ પત્રકારોએ નવ નિયુક્ત હોદ્દેદારોને ઉપસ્થિત પત્રકારો એ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. આ પ્રસંગે પત્રકાર એકતા સંગઠન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, ગૌરવ પંડ્યા, આર બી રાઠોડ, ભરત સિંહ રાઠોડ, તેજેન્દ્ર સિંહ રાઠોડ, પ્રહલાદ ભાઈ ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી


Share

Related posts

અરેઠ તાલુકાના ચંદનપુર ખાતે રૂ.૩૬૦ કરોડની ઉદ્દવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત

ProudOfGujarat

ઝઘડિયાના રાણીપુરા નજીક રોડ ઉપર રેતી ભરેલ હાઇવા ટ્રક પલ્ટી જતા વાહનો અટવાયા.

ProudOfGujarat

[04/07, 2:07 pm] Dinesh Bhai: ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, અષાઢી બીજના દિવસે ઠેર – ઠેર જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરતી હોય છે, ભરૂચમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ નું આયોજન કરાયું હોય, જેના અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય, જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવી ફરજિયાત હોય આ પ્રકારે એન્ટ્રી ન કરનાર હોટલ તથા ગેસ્ટ હાઉસ ની તપાસ કરી ભરૂચ એસ.ઓ.જી ની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અંકલેશ્વર ના એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોય તેના મેનેજર સહિતના સમક્ષ કાયદેસરની કાર્યવાહી એસોજીની ટીમે હાથ ધરી હતી. ભરૂચમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નગરચર્યા કરવાની હોય, જેને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પ્રકારે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનામાં ની અમલવારી માટે હોટલ, ગેસ્ટહાઉસ વગેરેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તેની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી લેતા અંકલેશ્વર ખાતે આવેલ મોનાર્ચ ગેસ્ટહાઉસ માં આવા- ગમન કરતા પ્રવાસીની પથિક સોફ્ટવેર માં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ ન હોય આથી SOG ની ટીમ દ્વારા સ્ટાફના માણસો સાથે રાખી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરતા રજીસ્ટર મુજબ એન્ટ્રી મળી આવેલ ન હોય આથી એસોજી ની ટીમે આ ગેસ્ટ હાઉસ ના મેનેજર જુબેર બશીર અહેમદ શેખ ઉંમર વર્ષ 34 રહે પીપળી ફળિયુ માલીવાડ ભરૂચ ને ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી એસઓજીની ટીમે હાથ ધરેલ છે. [04/07, 2:07 pm] Dinesh Bhai: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!