Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગામી તા.27 એ ઓર્થોપેડિક કેમ્પ યોજાશે.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે તા.૨૭ મી નવેમ્બરને શનિવારના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી ઓર્થોપેડિક કેમ્પ યોજાશે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના ઉપક્રમે યોજાનાર આ કેમ્પમાં વર્ષો જુની સાંધાની તકલીફ, ઘૂંટણનો ઘસારો, કમરમાં તેમજ સાંધામાં સોજો અને લાલાશ રહેવી, સાંધા જકડાઇ જવા તેમજ હલનચલનમાં તકલીફ, પગ વાંકા વળી જવા તેમજ ચાલવામાં તકલીફ થવા જેવી વિવિધ શારીરિક અને ઓર્થોપેડિક તકલીફોવાળા દર્દીઓને નિષ્ણાત ઓર્થોપેડિક સર્જન દ્વારા તપાસીને નિદાન કરવામાં આવશે. વધુમાં જણાવાયા મુજબ આયુષ્યમાન ભારત આરોગ્ય કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

જંબુસરનાં પીલુદ્રા ગામની સીમમાં ખેતરોમાં કેમિકલ યુક્ત ગંદુ પાણી ફળી વળતાં પાકને નુકસાન.

ProudOfGujarat

મુખ્યમંત્રીનાં હસ્તે નર્મદા જિલ્લામાં રૂ. ૧૫૨ કરોડથી વધુનાં ખર્ચે સાકાર થનારી વિવિધ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમૂહુર્ત કરાયું.

ProudOfGujarat

આજ રોજ કારઠ મુકામે આવેલ ગ્રામ સેવા માધ્યમિક અને ઉ. મા. વિધ્યાલય કારઠ મુકામે શિક્ષક દિન ની ઉજવણી કરવામા આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!