Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગામી તા.27 એ ઓર્થોપેડિક કેમ્પ યોજાશે.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે તા.૨૭ મી નવેમ્બરને શનિવારના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી ઓર્થોપેડિક કેમ્પ યોજાશે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના ઉપક્રમે યોજાનાર આ કેમ્પમાં વર્ષો જુની સાંધાની તકલીફ, ઘૂંટણનો ઘસારો, કમરમાં તેમજ સાંધામાં સોજો અને લાલાશ રહેવી, સાંધા જકડાઇ જવા તેમજ હલનચલનમાં તકલીફ, પગ વાંકા વળી જવા તેમજ ચાલવામાં તકલીફ થવા જેવી વિવિધ શારીરિક અને ઓર્થોપેડિક તકલીફોવાળા દર્દીઓને નિષ્ણાત ઓર્થોપેડિક સર્જન દ્વારા તપાસીને નિદાન કરવામાં આવશે. વધુમાં જણાવાયા મુજબ આયુષ્યમાન ભારત આરોગ્ય કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

વાગરા જ્વેલર્સને ત્યાં લૂંટનો આરોપી ઝબ્બે : ઓનલાઇન ગેમિંગ સટ્ટામાં 10 લાખ ગુમાવતાં ગુનાના રસ્તે ચઢ્યો

ProudOfGujarat

ભરૂચમાં ધન્વંતરી આરોગ્ય રથની શરૂઆત.

ProudOfGujarat

ભરૂચ : પાલેજની કલ્પના નગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી તસ્કરો પલાયન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!