Proud of Gujarat
GujaratFeaturedUncategorized

ભરુચના ખત્રીવાદમાં ઝાડ ઢરાસાઈ થતાં નગરપાલિકાને જાણ કરાઇ હોવા છતાં કામગીરી ન થતાં સ્થાનિક લોકોએ ઝાડ કાપવા અંગે કામગીરી કરી.

Share

મુસરધાર વરસાદના સમયમાં ભરુચ નગરપાલિકા ધ્વારા ત્વરિત અસરકારક કામગીરી કરવામા આવે છે તેવા દાવા પોકળ સાબિત થયા હતા જેમકે ખત્રીવાદ વિસ્તારમા તોટિંગ વૃક્ષ ઢરાસાઇ થયુ હતું આ વૃક્ષ ઢરાસાઇ થતાં માર્ગ પરથી અવર જવર બંધ થઈ ગઈ હતી એટલું જ નહીં પરંતુ ઢરાસાઇ થયેલ વૃક્ષ જોખમકારક સાબિત થઈ શકે તેમ હતું વારંવાર નગરપાલિકાને જાણ કરવા છતાં ઢરાસાઇ વૃક્ષ અંગે યોગ્ય કામગીરી કરવા અંગે નગરપાલિકા તંત્ર ધ્વારા કોઈ વ્યવસ્થા ન કરતાં છેવટે સ્થાનિક લોકો એ જાતે વૃક્ષ કાપવા અને હટાવવાની કામગીરી કરી હતી ઉલ્લેખનીય બાબત એ છે કે જે વિસ્તારમાં ઝાડ પડ્યું છે તે વિસ્તારના પાછળના મોહલ્લામાં ભરુચ નગરપાલિકાના પ્રમુખ રહે છે તેમ છતાં કામગીરી ન થતાં મોહલ્લામાં રોષની લાગણી છવાઈ ગઈ છે સ્થાનિકોમાં રોષ ભભૂકતા નગરપાલિકા ધ્વારા ઝાડ હટાવવા માટે ફાયરના માણસો મોકલી અપાયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નજીક આવેલ પિરામણ ગામ પાસેનાં પુલ ઉપર આમલાખાડીનું પાણી ફરી વળ્યું.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા તંત્રને આગામી 72 કલાકમાં સામાન્ય સભા યોજવા વિરોધ પક્ષનું અલ્ટીમેટમ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર એપીએમસી માં 12 દિવસ માં 50,000 મણ કપાસની હરાજી થઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!