Proud of Gujarat
FeaturedGujaratUncategorized

બિરલા કોપર કંપનીમાં કામદારનું 20 ફૂટ કરતાં વધુ ઊચાઇ થી પટકાતાં મોત , કંપની અને કોન્ટ્રાકટરો ની બેદરકારી હોવાનું જણાયું.

Share

ભરુચ જિલ્લાની દહેજ ઔધ્યોગિક વસાહટ ખાતે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાયા છે તેમાં કંપની અને કોન્ટ્રાકટરોની બેદરકારીના પગલે કામદારોના મોત થતાં હોવાના કિસ્સા વધી રહ્યા છે આવોજ એક બનાવ સવારે લગભગ 7 વાગ્યાના અરસામાં બન્યો હતો જેમાં એક કામદાર કે જે બિરલા કોપર કંપનીમાં 20 ફૂટ કરતાં વધુ ઊચાઇ ધરાવતા ટાવર પર કામ કરી રહ્યો હતો તે અચાનક પટકાતાં તેને ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાઈ રહ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું આ બનાવમાં બિરલા કોપર કંપનીના કોન્ટ્રાકટ હેઠળ કામ કરતાં અખિલેશસિંઘ ઉમર વર્ષ 27 નું મોત નીપજયું હતું. કંપની અને કોન્ટ્રાકટરના બેદરકારી ભર્યા વલણ અને કામ કરવાની પદ્ધતી અંગે જાતજાતની તપાસ ચાલી રહી છે ત્યારે પોલીસતંત્ર ધ્વારા પણ આ અંગે સઘન તપાસ થવી જોઇએ તેવી લોક માંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

ગોધરા : શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીની સેમેસ્ટર – 6 ની પરીક્ષાનો સોશિયલ ડીસટન્સ સાથે પ્રારંભ થયો.

ProudOfGujarat

વડોદરામાં રખડતા ઢોર પકડવાના મુદ્દે ગૌપાલકો અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે અથડામણ

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક અજાણ્યા વૃદ્ધનું ટ્રેન અડફેટે મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!