Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ રેલ્વે સ્ટેશન પાસે એક વૃદ્ધ ટ્રેનની અડફેટે આવતા સારવાર દરમિયાન મોત.

Share

કરજણ રેલ્વે સ્ટેશનના અપ પ્લેટફોર્મ નંબર 01 પર એક 80 વર્ષના અજાણ્યો વ્યક્તિ ટ્રેનની અડફેટે આવી જતાં ઇજાગ્રસ્ત થયો હતો. જેને 108 ની મદદથી કરજણ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન કરુણ મોત નિપજયનું સૂત્રો જણાવે છે.

    ઉપરોક્ત બનાવને પગલે રામબીર સિંહ સ્ટાફ સાથે અને જીઆરપી મિયાગામ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ તેમના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં એક અજાણ્યો વ્યક્તિ અંદાજિત ઉંમર 80 વર્ષનો ઇજાગ્રસ્ત હાલતમાં મિયાગામ કરજણ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 પર પડેલો હતો, ઘટનાની તપાસ દરમિયાન ઈજાગ્રસ્ત અજાણ્યા વ્યક્તિ પાસેથી રેલવે ટિકિટ પાસ અને કોઈ ઓળખ પત્ર મળી આવ્યું ન હતું, થોડા સમય બાદ 108 ની મદદથી ઈજાગ્રસ્ત અજાણ્યા વ્યક્તિને વધુ સારવાર માટે સામૂહિક કેન્દ્ર કરજણ ખાતે મોકલવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

વાલીયા ખાતે પુત્રીના પ્રેમી ની હત્યા કરી આરોપીઓ પિતા, માતા અને ભાઈ ફરાર

ProudOfGujarat

અંકલેશ્વરના જલારામ એપાર્ટમેન્ટમાં તસ્કરો ઇલેક્ટ્રીક સામાન સહિત પ્લમ્બીંગના 1.10 લાખની મત્તાના સામાનની ચોરી કરી ફરાર.

ProudOfGujarat

યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મ જયંતી નિમિત્તે આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!