Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ખોડિયાર જયંતિ નિમિત્તે મંદિરમાં ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના મોસાલી વાંકલ માર્ગ પર ગડકાછ ગામ નજીક આવેલ પ્રખ્યાત ખોડિયાર માં ના મંદિરના ભક્ત ગુમાન વિશ્રામભાઈ વસાવાના સાનિધ્યમાં મહાસુદ આઠમ નિમિત્તે ખોડીયાર માતાજીના જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આઠમ નિમિત્તે માતાજીના મંદિરમાં ધજા ચડાવવાનો સુંદર કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આજે સવારથી જ મંદિરમાં દૂરદૂરથી પોતાની માનતા માનવા ભકતોની ભીડ ઉમટી પડી હતી. ભક્તો દ્વારા મંદિરના પટાંગણમાં દિવસ દરમ્યાન મહા પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેનો ભક્તોએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચનું નિવૃત્ત દંપત્તિ દુઃખદ પ્રસંગમાં અમદાવાદ ગયુને ઘરમાં તસ્કરોનો ૧.૮૪ લાખનો હાથફેરો

ProudOfGujarat

ભરૂચ શહેર અને જીલ્લા માં રખડતા ભિક્ષુકો અને અસ્થિર મગજ ના લોકો ને વાળ.દાઢી કરી તેઓને નવડાવી ગંદા કપડા બદલી સમાજ માં માનવતા ની મહેક પ્રસરાવી હતી…….જાણો વધુ 

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ગામેથી એસ.ઓ.જી ની ટીમે એક વર્ષથી ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!