Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મહામાંગલ્ય રેસીડન્સીના રહીશોએ ગેરકાયદેસર દબાણો દૂર કરવા કરી રજૂઆત.

Share

ઝાડેશ્વર ખાતે આવેલ મહામાંગલ્ય રેસીડન્સી કો. ઓપરેટીવ હાઉસિંગ સર્વિસ સો. લિ.ના રહીશો દ્વારા કલેકટરને ગેરકાયદેસર દબાણો દૂર કરવા યોગ્ય હુકમ કરવા અરજી આપવામાં આવી છે. અરજીમાં જણાવ્યા મુજબ ઝાડેશ્વર તવરા રોડ ઉપરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા વિનંતી કરવામાં આવી છે.

અરજીમાં જણાવ્યા મુજબ ઝાડેશ્વર ચોકડીથી તવરા જવાના જાહેર રોડ ઉપર લારીવાળા તેમજ ચા નાસ્તાની લારીવાળા સાથે હાલમા ચીકન તેમજ ઈંડા અને માંસ, મચ્છી, મટન બનાવી વેચવાવાળા પતરાના સેડ બનાવી જાહેરમાં વેચાણ કરે છે. મરઘી કાપવાની દુકાન પણ ખોલેલ છે જેથી ગ્રાહકો રોડ પર વાહનો મૂકીને જતાં હોવાથી ટ્રાફિકજામ થઈ જાય છે. તંદૂરી ફ્રાય કરવાવાળા જાહેરમાં જ શેકતા હોવાથી લોકોની લાગણી દુભાય છે. તેમજ આ તમામ નોનવેજની લારીઓ તેમજ દુકાનો કોઈપણ પરવાનગી વગર ચલાવવામાં આવે છે તેથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. આ જગ્યાએ અસામાજિક તત્વોની પણ અવરજવર રહે છે જેથી મહિલાઓને ઘણી તકલીફ પડે છે જેથી રોડ પર આ તમામ ગેરકાયદેસર દબાણ કરી ધંધો કરી રહ્યા છે તે તાત્કાલિક ધોરણે દૂર કરવા માંગણી કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે કુલ ૨૫૫ હેકટર વિસ્તારમાં અંદાજીત ૪,૨૨,૭૫૦ વૃક્ષો વાવીને તેનું જતન કરાશે

ProudOfGujarat

આજ સુધી કોઈપણ પાર્ટી એ શાળા, આરોગ્ય, વીજળી, પાણી, રસ્તા જેવા મુદ્દા પર ચર્ચા કરી નથી : અરવિંદ કેજરીવાલ.

ProudOfGujarat

અંકલેશ્વર:શહેર પોલીસ સ્ટેશનમાં રમજાન મહિના ને ધ્યાનમાં લઈને શાંતિ સમારોહની મીટીંગ યોજાઇ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!