Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના મકરપુરા જીઆઈડીસી ની બંધ કંપનીમાં આગ લાગતાં દોડધામ.

Share

વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં એક બંધ કંપનીમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.

વડોદરાના જીઆઇડીસી ખાતે મકરપુરામાં એક બંધ કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી આથી આજુબાજુના વિસ્તારમાં આવેલી કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ કંપનીમાં આગ લાગવાની ઘટના બનેલ છે તે કંપની ઘણા વર્ષોથી બંધ હોય જેથી કોઈપણ પ્રકારની મોટી જાનહાની થઈ નથી આગ લાગતાની સાથે જ ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ પાંચ ટીમો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. વડોદરાની મકરપુરા સ્થિત આ કંપની હાલ બંધ હાલતમાં હોય આખરે આ જગ્યા પર કોને આગ લગાડી, કેવી રીતે આગ લાગી તે સહિતના પ્રશ્નો અકબંધ રહ્યા છે તેવા સંજોગોમાં હાલના તબક્કે આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી. સદનસીબે આ કંપનીમાં આગના બનાવમાં કોઇ જાનહાનિ થયેલ નથી.

Advertisement

Share

Related posts

ગરમીનો પ્રકોપ – ભરૂચમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચતા જીલ્લાવાસીઓના પરસેવા છૂટ્યા, ગરમ પવન અને તડકાના પ્રકોપથી બચવા મજબુર બન્યા લોકો

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં કોવિડ-૧૯ નું રસીકરણનું મહાઝૂંબેશ યોજાયું.

ProudOfGujarat

આઝાદ પૂર્વે થી અંકલેશ્વર જૂની શાકમાર્કેટ ખાતે 80 વર્ષ ઉપરાંત થી યોજાતા શેરી ગરબા અંકલેશ્વર ની આગવી ઓળખ બની છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!