Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતા દોડધામ.

Share

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ માછીવાડમાં જર્જરિત મકાન ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.

ભરૂચ પાલિકા વિસ્તારમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યાં છે. જેમાં ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ માછીવાડમાં એક જર્જરિત મકાન રાત્રી દરમ્યાન ધરાસાઇ થવા પામ્યું હતુ. જે સમય દરમ્યાન શહેરમાં કોઈ અવરજવર નહિ હોવાથી મોટી જાનહાની ટળી હતી. ઘટનાને પગલે આસપાસના રહીશો બહાર દોડી આવ્યા હતા.અને પાલિકા તંત્રને જાણ કરી હતી.

નોંધનીય છે જ્યા મકાન ધરાશાયી થયું ત્યાંથી નજીવા અંતરે લગ્ન પ્રસંગ દિવસ દરમિયાન પૂર્ણ થયો હતો. જો આ ઘટના દિવસ દરમિયાન થઇ હોત તો જાનહાની થવાની શક્યતા વર્તાય હોત આવી શક્યતાને નકારી શકાય તેમ નથી. ત્યારે પાલિકા તંત્ર આવા મકાનોને ઉતારી લેવા કાર્યવાહી કરે તે જરૂરી બનવા પામ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ને.હા ૪૮ ઝંગાર ગામના પાટીયા પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

ઝઘડીયા : વણાકપોર પાસે બે મોટરસાયકલ સામસામે અથડાતા એક ઇસમનું કરૂણ મોત અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

અમરેલીમાં આજે પણ સચવાયા છે મહાત્મા ગાંધીનાં અસ્થિ..જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!