Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 28 મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી, મુસ્લિમ ઉમેદવારોનાં સહારે ભાજપની કેટલીય બેઠકો…

Share

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મોસમ જામી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગત સાંજે ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 ન.પા ની બેઠકો માટે ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને લઘુમતી સમાજના 28 જેટલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે સૌથી વધુ ભરૂચ તાલુકામાં 8 મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી છે તો બીજી તરફ હાંસોટ તાલુકામાં 1, વાલિયા તાલુકામાં 1, જંબુસર તાલુકામાં 2, આમોદ તાલુકામાં 3, અંકલેશ્વર તાલુકામાં 1, વાગરા તાલુકામાં 4 લઘુમતી ઉમેદવારોને ટીકીટ ફાળવી છે, તો નગરપાલીકામાં પણ ભરૂચ ન.પા માં 2, અંકલેશ્વર ન.પા માં 3, આમોદ ન.પા માં 1 તેમજ જિલ્લા પંચાયતની બેઠક પર 2 ઉમેદવારોને ટીકીટ ફાળવી કુલ 28 જેટલા મુસ્લિમ ઉમેદવારોના સહારે ભારતીય જનતા પાર્ટીની કેટલીય બેઠકો નિર્ભર થઈ છે.

Advertisement

મહત્વનું છે કે કોંગ્રેસ, બીટીપી અને ઓવૈસીની AIMIM ના ઉમેદવારો જાહેર કરવામાં હજુ સુધી સત્તાવાર બાકી હોય અનેક એવી બેઠકો હશે જ્યાં મુસ્લિમ ઉમેદવારો વચ્ચે રસપ્રદ ચૂંટણીનો જંગ બની રહે તેવા એંધાણ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહિ, અને લોકચર્ચા મુજબ મતોનું ધ્રુવીકરણ ત્રીજા પક્ષ માટે લાભદાય નીવડે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી તેવું કેટલાય રાજકીય પંડિતોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.


Share

Related posts

અંકલેશ્વર તાલુકા ના ઉંમરવાળા ગામ ખાતે માટી કૌભાંડ અંગે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો …..

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદિના ગુજરાત પ્રવાસ પહેલા જ એટીએસનું મોટું ઓપરેશન.

ProudOfGujarat

નડિયાદ : ખડીયારાપુરા સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!