Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર તાલુકા ના ઉંમરવાળા ગામ ખાતે માટી કૌભાંડ અંગે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો …..

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર તાલુકાના હદ વિસ્તારમાં આવેલ ઉમરવાડા ગામ ખાતે ગઈકાલ રોજ માટી કૌભાંડ બાબતે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને ૪ થી ૭ જેટલી માટી ભરેલી ટ્રકોની અટકાયત કરી આ માટીની ટ્રકો વગર રોયલ્ટીની હોવાનું જણાવ્યું હતું.ગામજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ગામના તળાવો માંથી ગેરકાયદેસર રીતે માટી ચોરી રેલવેમાં માટી નખાતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.પાછલા બે મહિનાથી આ માટીનું ખોદકામ ચાલતું હોય તેવું જણાવ્યું હતું અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામના સરપંચો તથા તલાટીઓ પણ માટી કોભાંડમાં સંકળાયેલા હોય તેવું પણ જણાવ્યું હતું.છેવટે જાતે જ ગ્રામજનોએ રાત્રે વોચ ગોઠવી ૪ થી ૭ જેટલી વગર રોયલ્ટીની માટી ભરેલી ગાડીઓ ઝડપી પાડી હતી અને સરકાર આ માટી કોભાંડમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી ગામજનોએ માંગણી કરી હતી. હાલ હવે એ જોવાનું રહ્યું કે ખાણ-ખનીજ વિભાગ આ મુદ્દે ધ્યાન આપશે ખરું કે પછી આંખ આડા કાન કરી બધું ચલાવી લેવામાં આવશે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર : નેશનલ હાઇવે નોબલ માર્કેટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાનિ નહિ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 54 ટકા આવ્યું જ્યારે જીલ્લાની નવ શાળાઓનું પરિણામ સો ટકા આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં આમોદ અને જંબુસર તાલુકામાં ભેંસોમાં ગળસુંઢાનો રોગ ફેલાતા 15 થી વધુ ભેંસોનાં મોત નીપજયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!