Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા સાંસદના સમર્થનમાં પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદન.

Share

તાજેતરમાં કરજણ તાલુકામાં એક રેતીના ડમ્પરની ટક્કરે ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. આ ઘટનાને લઇને ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવાએ મામલતદાર અને જવાબદાર કર્મચારીઓનો ઉધડો લીધો હતો. ઓવરલોડ વાહનો અધિકારીઓના મેળાપીપણા હેઠળ ચાલતા હોવાનું જણાવી સાંસદ ગુસ્સે થયા હતા. દરમિયાન કેટલાક કર્મચારી સંગઠનોએ આ બાબતે સાંસદ વિરુધ્ધ આવેદન આપ્યા હતા.

આજરોજ ઝઘડીયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ ઝઘડીયા પ્રાંત અધિકારીને સાંસદ મનસુખભાઇ વસાવાના સમર્થનમાં આવેદન પાઠવ્યુ હતુ. આ આવેદનમાં બેફામ ચાલતા રેત ખનન અને ઓવરલોડ જથ્થો ભરીને દોડતા વાહનોના કારણે અકસ્માત થતા હોવાની લાગણી વ્યક્ત કરીને ઝઘડીયા તાલુકા ભાજપા અગ્રણીઓએ સાંસદ મનસુખભાઇ વસાવાએ બેફામ દોડતા ઓવરલોડ વાહનોનો વિરોધ કર્યો હતો તેને સમર્થન આપ્યુ હતું.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચના કુકરવાડા ગામમાં બેફામ બનેલા નશાનો વેપલો કરતાં તત્વો સામે સ્થાનિકો લાચાર…!!

ProudOfGujarat

Business Idea: આ બિઝનેસથી થઈ શકે છે લાખોની કમાણી, સાંજે ફક્ત 5 કલાક કરવું પડશે કામ

ProudOfGujarat

પંચમહાલ : શહેરાનાં સલામપુરા ગામનાં એડવોકેટ અનોપસિંહ સોલંકીએ ગરીબોને અનાજકીટ આપી દિવંગત પુત્રને આપી શ્રધ્ધાજંલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!