Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ટંકારીયા ગામ ખાતે દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

Share

ભરૂચ જિલ્લામાં ઉનાળાની શરુઆત સાથે જ અનેક સ્થળે આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, છેલ્લા એક માસમાં અનેક મકાનો અને ઔધોગિક એકમોમાં આગ લાગ્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે, તેવામાં વધુ એક ઘટના ભરૂચ તાલુકાના ટંકારીયા ગામ ખાતેથી સામે આવી છે.

ટંકારીયા ગામ ખાતે આજે બપોરના સમયે એક કપડાંની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી, અચાનક લાગેલ આગના પગલે વિસ્તારના લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી, જોકે આગની સમગ્ર ઘટના ઉપર તાત્કાલિક અસરથી પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી, ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલીકાના ફાયર વિભાગમાં કરતા ફાયરના લશ્કરોએ પણ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ આગ ઓલવી હતી.

આગ લાગ્યાની સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો, જોકે આગની ઘટનામાં ઘર વખરી બળીને ખાખ થઇ હતી, અત્રે ઉલ્લેખનીય છે કે આગ શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી અથવા કોઈ અન્ય કારણસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું ન હતું.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ઝઘડિયાના ફિચવાડા ગામના ઇસમને અન્યની પીકઅપ પર ડ્રાઇવિંગ કરવાની બાબતે બે ઇસમોએ માર માર્યો

ProudOfGujarat

રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લાને વધુ હરિયાળો બનાવવા જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વમાં હાથ ધરાયેલો “ગ્રીન નર્મદા” પ્રોજેકટ.

ProudOfGujarat

ભરૂચ કલેકટરે પંડિત ઓમકારનાથ હોલ ખાતેના ‘રસીકરણ કેમ્પ’ ની મુલાકાત લઈ રસીકરણ ઝૂંબેશનો લાભ લેવા કરી અપીલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!