Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના નબીપુર રેલવે સ્ટેશન નજીક અજાણ્યા યુવકનું ટ્રેન અડફેટે કરૂણ મોત નિપજયુ.

Share

ભરુચના નબીપુર રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે એક અજાણ્યા યુવાનનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. ભરૂચ રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરોજ સાંજે ૬.૩૫ કલાક પહેલા નબીપુર રેલવે સ્ટેશન પર ડાઉન લાઇન પરથી પસાર થઈ રહેલી કોઈપણ ટ્રેનની અડફેટે એક અજાણ્યો યુવાન ઉ.વ. ૩૦ આવી જતા યુવકને શરીરે ગંભીર ઈજાઓ થતા યુવકનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. મૃતક યવક મધ્યમ બાંધાનો, રંગે ઘઉ વર્ણ, બ્લેક ટી શર્ટ તથા બ્લુ રંગનું જીન્સ પેન્ટ પહેર્યું છે. ઘટનાની જાણ થતા ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુખરામભાઈ રાજુભાઈ રાઠવાએ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ : મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ શખ્સો સાથે મોટરસાયકલ ઝડપી પાડતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક અને અર્ધ વાર્ષિક માટેની કામગીરી.

ProudOfGujarat

ઝઘડીયાની એક કંપની દ્વારા સીએસઆર હેઠળ વિદ્યાસાથી પ્રોજેક્ટ ચલાવાય છે જેમાં શિક્ષકોની ઘટ ધરાવતી 62 શાળાઓમાં 81 શિક્ષિકા બહેનોની નિમણુક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!