Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં પારિવારિક ઝઘડાને કારણે નર્મદા બ્રિજ પર આત્મહત્યા કરવા ગયેલા યુવાનને બચાવતી એલ.સી.બી.

Share

ભરૂચમાં પારિવારિક ઝઘડાને કારણે ડિપ્રેશનમાં આવી નર્મદા બ્રિજ પરથી આત્મહત્યા કરવા જતા આશાસ્પદ યુવાનને વોકિંગ ટ્રેક પરથી શોધી શોધી કાઢી એલસીબીની ટીમે યુવકને બચાવી લીધો હતો.

આ બનાવની મળતી વિગતો અનુસાર ભરૂચ એલસીબીના પીઆઇ જે એન ઝાલા અને ભરત ચુડાસમાને હકીકત મળેલ કે એક યુવાન નર્મદા બ્રિજ પાસે આત્મહત્યા કરવા માટે ત્યાં ગયેલ હોય જે અંગેની હકીકત મેળવી એલસીબીની ટીમ, ભરૂચ પોલીસ એ ડિવિઝનની ટીમ અને ભરૂચ પોલીસ સબ ડિવિઝનની ટીમ તથા અંકલેશ્વર પોલીસને આ યુવકનો પહેરવેશ અને તેના ફોટોગ્રાફ્સ દ્વારા વર્ણન કરેલ નર્મદા બ્રિજના તમામ કાંઠા વિસ્તારમાં પોલીસે યુવકની શોધખોળ હાથ ધરેલ હોય તેવામાં એલસીબીના ગઢવી તથા જયેન્દ્ર ભાઈની ટીમના પોલીસે નર્મદા બ્રિજ વોકિંગ ટ્રેક પરથી આત્મહત્યાનાં ઈરાદે ગયેલ યુવકને સાવચેતીપૂર્વક રોકી લઈ યુવકનું કાઉન્સિલીંગ કરી એ આશાસ્પદ યુવાનને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

નવેઠા ખાતે 21મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 15 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા

ProudOfGujarat

વડોદરામાં બજેટને લઈને કારોબારી સમિતિની બેઠક મળી.

ProudOfGujarat

અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં કોંગ્રેસનું ચક્કજામ, કાર્યકરો અને પોલીસ વચ્ચે સર્જાયુ ઘર્ષણ, બિસ્માર માર્ગોને લઈ કોંગ્રેસ આક્ર્મક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!