Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુર રેલવે સ્ટેશન નજીક માલગાડી અડફેટે એક અજાણી મહિલાનું મોત.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર રેલવે સ્ટેશન નજીક માલગાડી અડફેટે એક અજાણી મહિલાનું મોત નિપજવા પામ્યું હતું. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરોજ ૧૭.૫૦ પહેલા નબીપુર અપલાઇન પરથી પસાર થતી બી એમ એસ આર / સી એમ સી ટી માલગાડીની અડફેટે એક ૪૦ વર્ષના આશરાની મહિલા આવી જતા વિકૃત રીતે કપાઈ જવા પામી હતી.

ઘટનાની જાણ ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુખરામભાઈને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલાના મૃતદેહનો કબજો લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલા મધ્યમ બાંધાની રંગે ઘઉ વર્ણ, ઉંચાઈ ૫ × ૬ ઇંચ, શરીરે આછી ખાખી કલરની કુર્તી, આછા બ્લુ કલરની મોર પીંછ વાળી ઓઢણી, કમરે જાંબુડી કલરની લેંગીસ પહેરેલ છે. મૃતકના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકમાં સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

સુરત : માનવ સેવાની સેવા ટ્રસ્ટ ખોલવડ દ્વારા ત્રીજો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં દારૂબંધી અંગે ના કડક અમલ સારૂ ખાસ ઝુંબેસ રાખવામાં આવેલ છે.

ProudOfGujarat

ભરૂચ:તારીખ ૧૯-૦૫-૨૦૧૯ના રોજ વર્લ્ડ ભરૃચી વહોરા ફેડરેશન તેમજ જિલ્લાના અન્ય ટ્રસ્ટો અને શૈક્ષણિક સંકુલના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!