Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુર રેલવે સ્ટેશન નજીક માલગાડી અડફેટે એક અજાણી મહિલાનું મોત.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર રેલવે સ્ટેશન નજીક માલગાડી અડફેટે એક અજાણી મહિલાનું મોત નિપજવા પામ્યું હતું. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરોજ ૧૭.૫૦ પહેલા નબીપુર અપલાઇન પરથી પસાર થતી બી એમ એસ આર / સી એમ સી ટી માલગાડીની અડફેટે એક ૪૦ વર્ષના આશરાની મહિલા આવી જતા વિકૃત રીતે કપાઈ જવા પામી હતી.

ઘટનાની જાણ ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુખરામભાઈને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલાના મૃતદેહનો કબજો લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલા મધ્યમ બાંધાની રંગે ઘઉ વર્ણ, ઉંચાઈ ૫ × ૬ ઇંચ, શરીરે આછી ખાખી કલરની કુર્તી, આછા બ્લુ કલરની મોર પીંછ વાળી ઓઢણી, કમરે જાંબુડી કલરની લેંગીસ પહેરેલ છે. મૃતકના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકમાં સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

ધોનીની લાડલી મેદાનમાં કપને લઇને ભેટી પડી: રીવાબાનો જોવા મળો અલગ અંદાજ

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકર્પણના 1 મહિના બાદ 2,79,166 પ્રવાસીઓ નોંધાયા,આવક 6 કરોડ કરતા વધુ.

ProudOfGujarat

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના સભાખંડમાં ઔદ્યોગિક પરિસંવાદ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!