Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુર રેલવે સ્ટેશન નજીક માલગાડી અડફેટે એક અજાણી મહિલાનું મોત.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર રેલવે સ્ટેશન નજીક માલગાડી અડફેટે એક અજાણી મહિલાનું મોત નિપજવા પામ્યું હતું. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરોજ ૧૭.૫૦ પહેલા નબીપુર અપલાઇન પરથી પસાર થતી બી એમ એસ આર / સી એમ સી ટી માલગાડીની અડફેટે એક ૪૦ વર્ષના આશરાની મહિલા આવી જતા વિકૃત રીતે કપાઈ જવા પામી હતી.

ઘટનાની જાણ ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુખરામભાઈને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલાના મૃતદેહનો કબજો લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલા મધ્યમ બાંધાની રંગે ઘઉ વર્ણ, ઉંચાઈ ૫ × ૬ ઇંચ, શરીરે આછી ખાખી કલરની કુર્તી, આછા બ્લુ કલરની મોર પીંછ વાળી ઓઢણી, કમરે જાંબુડી કલરની લેંગીસ પહેરેલ છે. મૃતકના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકમાં સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

ભરૂચના બાયપાસ રોડ પર આવેલ એક ખાનગી પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલક અને કર્મચારી વચ્ચે કોઈક બાબતે થઈ મારામરી

ProudOfGujarat

અમદાવાદ : સ્વ. અહેમદભાઈ પટેલનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 23 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1295 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!