Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના પોરા ગામના યુવકનો તલોદરા ગામના તળાવમાંથી મૃતદેહ મળ્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામના તળાવમાંથી એક ૩૦ વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના પોરા ગામનો સતિષભાઇ રમેશભાઈ વસાવા નામનો ૩૦ વર્ષીય યુવાન તલોદરા ખાતે તેના સંબંધીને ત્યાં આવ્યો હતો. વધુમાં મળતી વિગતો મુજબ આ યુવાન માનસિક રીતે અસ્થિર હોઇ તેની દવા ચાલતી હતી. ગત તા.૧૮ મીના રોજ આ યુવક ઘરેથી ભાગીને ક્યાંક જતો રહ્યો હતો. ત્યારબાદ સંબંધીઓ અને ગ્રામજનો દ્વારા ગુમ થયેલ યુવકની શોધખોળ કરવા છતાં તે મળ્યો નહતો. દરમિયાન તા.૧૯ મીના રોજ તલોદરા ગામના તળાવમાં કોઇનો મૃતદેહ હોવાની જાણ થઇ હતી. ત્યારબાદ તપાસ કરતા આ મૃતદેહ ઘરેથી ભાગી ગયેલ યુવક સતિષનો હોવાનું જણાયું હતું. આ ઘટના બાબતે કનુભાઇ અમરાભાઇ વસાવા રહે.ગામ તલોદરા તા.ઝઘડીયાનાએ ઝઘડીયા પોલીસમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેનસરી કમિટીનાં માજી ચેરમેન અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં વરિષ્ઠ આગેવાન સિકંદર ફડવાલા દ્વારા પ્રજાહિત માટે નગરપાલિકા ચીફ ઓફીસરને રજુઆત કરાઈ.

ProudOfGujarat

ગુજરાત હાઇકોર્ટ દ્વારા વધુ એક પોર્ટલ લોન્ચ, RTI અરજીઓથી લઇને ફર્સ્ટ અપીલ ઓનલાઈન કરી શકાશે

ProudOfGujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નશીલી કફ સિરપની બોટલો ઝડપી બે શખ્સોની અટકાયત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!