Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડીયાદ ખાતે ભારત સરકારના સંચાર મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ.

Share

દેશમાં ૨૧ મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશ જ્યારે આઝાદીના ૭૫ મુ વર્ષ ઉજવી રહ્યું છે તેના ભાગરૂપે ભારત સરકારના તાર-ટપાલ અને સંચાર વિભાગ દ્વારા આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૨ ના કાઉન્ટ ડાઉન-૨ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગાનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે આજે નડીયાદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ ની ઉજવણી કરતાં જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે આ યોગ દિવસની ઉજવણીમાં તાર-ટપાલ અને સંચાર વિભાગના દેશના ૧૦૦ જેટલા વિભાગોના ૫૦ હજારથી વધારે કર્મચારીઓ જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવી દિલ્હીથી કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ જીતેન્દ્ર ગુપ્તા, પોષ્ટ માસ્ટર જનરલ દક્ષિણ ગુજરાતના પ્રિતીબેન અગ્રવાલ, સુપ્રિટેન્ડન્ટ ઓફ પોષ્ટ ઓફિસ ખેડા મંડલના એન.જી.રાણા સહિત ખેડા ડિવિઝનના પોષ્ટના અધિકારી ઓ તથા કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી :નડિયાદ


Share

Related posts

ઉમરપાડાનાં કાલીજામાણ ગામે કોટવાલિયા -કાથુડીયા પરિવારને અનાજ કીટનું વિતરણ થયું.

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલી નજીક નહેરમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર બાઇક અને બસ વચ્ચે અકસ્માત થતાં બે ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!