Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : બાકરોલ ગામની સીમમાં દીપડો અને મોર મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સિમમાં આવેલ જીઈબી ના ડી.પી પર બેઠેલા મોરનું શિકાર કરવા જતાં મોર અને દીપડાને કરંટ લાગતા બંનેના મોત નિપજ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

ઘટના અંગેની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરતા વન વિભાગ સહિત પોલીસે મામલા અંગે સ્થળ પર દોડી જઈ તપાસ આરંભી હતી. અચાનક મોર અને દીપડાના મોતની વાત ગામમાં પ્રસરતા અને સ્થાનિકોમાં પણ દીપડાની હાજરીને લઇ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

સુરતમાં BRTS ની બસે એક મહિલાને અડફેટે લઇને ગંભીર ઇજા પહોંચાડતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં દીકરીના જન્મદિવસ નિમિત્તે દાતાશ્રી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત લાખોના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી વાલિયા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!