Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના કાંટોલ ગામે આગળના ઝઘડાની અદાવત રાખી એક ઇસમને માર્યો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કાંટોલ ગામે એક લગ્ન પ્રસંગમાં ગયેલ ઇસમને ૧૦ જેટલા ઇસમોએ માર માર્યો હોવાનો બનાવ બનવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના ભીલવાડા ગામે રહેતો વિકાસભાઇ ગીરીશભાઇ વસાવા નામનો યુવાન ગત તા.૨૨ મીના રોજ કાંટોલ ગામે એક લગ્ન પ્રસંગ હતો ત્યાં ગયો હતો. ત્યાં બેન્ડ વાગતુ હતુ તેમજ બધા લોકો નાચતા હતા,તે જોવા વિકાસ અને તેની સાથે ગયેલ ઇસમો ઉભા હતા. ત્યારે કાંટોલ ગામના દશરથભાઇ વસાવા સહિતના કેટલાક લોકો ત્યાં આવ્યા હતા અને વિકાસને કહ્યું હતુંકે અહિંયા કેમ આવ્યા છો? તેમ કહીને આ લોકોએ વિકાસને લાકડીનો સપાટો તેમજ ઢિકાપાટુનો માર માર્યો હતો. ત્રણેક મહિના ઉપર આંબાખાડી ગામે ઝઘડો થયો હતો તેની રીષ રાખીને વિકાસને માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. ઇજાગ્રસ્ત વિકાસને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો. ઘટના સંદર્ભે વિકાસભાઇ ગીરીશભાઇ વસાવા રહે.ગામ ભીલવાડાનાએ આશિષ વિક્રમ વસાવા, કૌશિક દિલિપ વસાવા, અશોક રામા વસાવા, અજય વલુસીંગ વસાવા, સંદિપ ચંદુ વસાવા, જયદીપ પ્રતાપ વસાવા, દશરથ ચૈતર વસાવા, રોહિત ચંદ્રસિંહ વસાવા, રામાભાઇ રાવજી વસાવા તેમજ વિક્રમ રાવજી વસાવા તમામ રહે.ગામ કાંટોલ, તા.ઝઘડીયા, જી.ભરૂચના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાના “નોંધણા”ગામની અસ્થિર મગજની મહિલાની તળાવ પાસેનાં ઊંડા વરસાદી કાંસમાંથી મળી લાશ.

ProudOfGujarat

અંકલેશ્વર સહિત પાનોલી અને ઝઘડિયાની ઇન્ડસ્ટ્રીઝનું એફલુએન્ટ પાણીનો નિકાલ 24 કલાક માટે કરાયો બંધ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર મહા શિવરાત્રી પર્વ નિમિત્તે જનજાગૃતિ રેલી યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!