Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ ઉમરપાડાના શિક્ષિત બેરોજગારોને થતા અન્યાયના વિરોધમાં મિટિંગ યોજાશે.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે તારીખ પહેલી જુનના રોજ સરકારી વિશ્રામગૃહ ખાતે માંગરોળ અને ઉમરપાડા તાલુકાના શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી નહીં મળવાના વિરોધમાં લડત ચલાવવાના ભાગરૂપે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
માજી ધારાસભ્ય રમણ ચૌધરી તેમજ કનુ ચૌધરીના નેજા હેઠળ વાંકલ સરકારી વિશ્રામગૃહ ખાતે બપોરે 12:00 વાગ્યે શિક્ષિત બેરોજગાર યુવાનોને ન્યાય અપાવવા માટે મિટિંગનું આયોજન કરાયું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત મિશન અંતર્ગત યુવાનોને ધંધા રોજગાર નોકરી આપવામાં આવે છે તેવા સરકારના ખોખલા દાવાને પ્રજા સમક્ષ ઉજાગર કરવા અને સરકારની ભ્રષ્ટાચારી ખોટી નીતિના વિરોધમાં આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં હજારોની સંખ્યામાં શિક્ષિત બેકારો નોકરીની શોધમાં ભટકી રહ્યા છે. સરકાર દ્વારા કોઈપણ પ્રકારના ધંધા લોન રોજગાર આપવામા આવ્યા નથી તેમજ સરકારી નોકરીની ભરતી માટેની જાહેરાતો કરે છે. જેમાં પેપરો ફૂટવાનો સિલસિલો જારી રહ્યો છે. નોકરીઓ આપવામાં આવતી નથી. આજના સમયે શિક્ષિત બેરોજગારોની હાલત કફોડી બની છે. સરકાર વહીવટમાં સદંતર નિષ્ફળ નીવડી છે અને માત્ર ભ્રષ્ટાચાર કરે છે. જેનો ભોગ ભૂતકાળમાં યુવાનો બની ચૂક્યા છે. ત્યારે શિક્ષિત બેરોજગારોને સાંપ્રત સમયમાં ન્યાય મળે એ માટે સામુહિક પ્રયાસ અભિગમથી ન્યાય મળે એ માટે માંગરોળ ઉમરપાડા તાલુકાના જાગૃત શિક્ષિત યુવાનો વાલીઓ અને સંનિષ્ઠ આગેવાનો સહિયારા પ્રયાસથી સરકાર સામે લડત કરે એજ સમયની માંગ છે.આ મિટિંગમાં બેકારીના ભોગ બનેલા યુવાનોને બેકારી ભથ્થું મળે તેવી પણ એક માંગ કરવામાં આવનાર છે. રોજગારીના હક માટે થનાર આંદોલનમાં સહયોગની આગેવાનો એ અપીલ કરી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ જિલ્લામાં આજે વધુ ૮ જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેને લઇને જિલ્લામાં કુલ 203 લોકો કોરોના પોઝિટિવ થયા હોવાનું જાણવા મળ્યું છે.

ProudOfGujarat

ભરૂચ શહેરના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લીધી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના થાનના જામવાડી ગામે આવેલા શિવમંદિરમાં ગુપ્તધન મેળવવાની લાલચમાં તોડફોડ કરનાર પાંચ શખ્સો ઝડપાઈ ગયા છે.1200 વર્ષ કરતા વધુ પૌરાણિક શિવમંદિરમાં નંદી અને શિવલિંગ નીચે ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કર્યું હતુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!