Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં દૂષિત પાણી પીવાના કારણે ઝાડા-ઉલટી અને ટાઈફોડના 829 નોંધાયા.

Share

અમદાવાદ શહેરમાં પાણી જન્ય રોગચાળો વકરી રહ્યો છે. ઉનાળાની સિઝનમાં આ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને મે મહિનાના 28 દિવસની અંદર કેસોમાં વધારો જોવા મળ્યો છે. દૂષિત પાણીની ફરીયાદો પણ અન્ય વિસ્તારોમાં ઉઠી હતી ત્યારે ઝાડા અને ઉલટીના 626 કેસો નોંધાયા છે જ્યારે ટાઈફોઈડના 203 કેસો અમદાવાદ શહેરમાં નોંધાયા છે. આ ઉપરાંત કમળાના પણ કેસો સામે આવ્યા છે. 139 કેસો કમળાના નોંધાયા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ ટીમે હાથ ધરેલા પાણીજન્ય રોગચાળાના સર્વેમાં 5 મહિનાની અંદર વિવિધ સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા છે. જેમાં આ સેમ્પલમાં 657 પાણીમાં ક્લોરીનની ગેરહાજરી જોવા મળી હતી. 34 સેમ્પલની અંદર બેક્ટેરીયાનું પ્રમાણ પણ જોવા મળ્યું હતું.

Advertisement

પાણી જન્ય રોગચાળાના સૌથી વધુ કેસો અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે કેટલાક વિસ્તારો પર નજર કરીએ તો રખિયાલ, વટવા, સરસપુર, જમાલપુર, કુબેરનગર, શાહિબાગ, અસારવા, બાપુનગર, દાણીલિમડા, લાંભા, બહેરામપુરા સહીતના વિસ્તારમાં આ રોગચાળો જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત ચાલી રહેલી ઉનાળાની સિંઝનની અંદર પાણીજન્ય રોગચાળા પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ કેસો વધતા જ જોવા મળી રહ્યા છે બીજી તરફ ગરમીના કારણે પણ ઝાડા, ઉલટીના કેસો પેટની સમસ્યાઓ, મરછીત થઈ જવાની ઘટનાઓ પણ અગાઉ સામે આવી હતી. જેથી આ કેસો પણ તેની સાથે સાથે વધી રહ્યા છે.


Share

Related posts

પાનોલી સૌ કોલોની વિસ્તાર માં ચાલતા જુગાર

ProudOfGujarat

લમ્પી વાઇરસને લઇને ખેડા જિલ્લા પશુપાલન વિભાગની ૪૦ ટીમો સર્વેની કામગીરીમાં લાગી.

ProudOfGujarat

मौनी रॉय ने मोहित रैना के साथ आपने रिलेशनशिप को लेकर किया ये बड़ा ख़ुलासा!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!