Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં દૂષિત પાણી પીવાના કારણે ઝાડા-ઉલટી અને ટાઈફોડના 829 નોંધાયા.

Share

અમદાવાદ શહેરમાં પાણી જન્ય રોગચાળો વકરી રહ્યો છે. ઉનાળાની સિઝનમાં આ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને મે મહિનાના 28 દિવસની અંદર કેસોમાં વધારો જોવા મળ્યો છે. દૂષિત પાણીની ફરીયાદો પણ અન્ય વિસ્તારોમાં ઉઠી હતી ત્યારે ઝાડા અને ઉલટીના 626 કેસો નોંધાયા છે જ્યારે ટાઈફોઈડના 203 કેસો અમદાવાદ શહેરમાં નોંધાયા છે. આ ઉપરાંત કમળાના પણ કેસો સામે આવ્યા છે. 139 કેસો કમળાના નોંધાયા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ ટીમે હાથ ધરેલા પાણીજન્ય રોગચાળાના સર્વેમાં 5 મહિનાની અંદર વિવિધ સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા છે. જેમાં આ સેમ્પલમાં 657 પાણીમાં ક્લોરીનની ગેરહાજરી જોવા મળી હતી. 34 સેમ્પલની અંદર બેક્ટેરીયાનું પ્રમાણ પણ જોવા મળ્યું હતું.

Advertisement

પાણી જન્ય રોગચાળાના સૌથી વધુ કેસો અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે કેટલાક વિસ્તારો પર નજર કરીએ તો રખિયાલ, વટવા, સરસપુર, જમાલપુર, કુબેરનગર, શાહિબાગ, અસારવા, બાપુનગર, દાણીલિમડા, લાંભા, બહેરામપુરા સહીતના વિસ્તારમાં આ રોગચાળો જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત ચાલી રહેલી ઉનાળાની સિંઝનની અંદર પાણીજન્ય રોગચાળા પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ કેસો વધતા જ જોવા મળી રહ્યા છે બીજી તરફ ગરમીના કારણે પણ ઝાડા, ઉલટીના કેસો પેટની સમસ્યાઓ, મરછીત થઈ જવાની ઘટનાઓ પણ અગાઉ સામે આવી હતી. જેથી આ કેસો પણ તેની સાથે સાથે વધી રહ્યા છે.


Share

Related posts

ભરૂચ : ગણેશ સુગરનાં વહીવટકર્તાઓની અરજી હાઇકોર્ટે ફગાવી.

ProudOfGujarat

અંકલેશ્વર – હાંસોટ પંથકના ગામ તળાવોમાં કમળ ના ફૂલો સ્વયભૂ અવતરણ પામતા હોય છે, એટલે કે  ગામ તળાવ માં સ્વયંભૂ રીતે કમળો ઉગતા આવ્યા છે જોકે અનેક આશ્ચર્યો વચ્ચે ગ્રામજનો કમળ ના ફૂલોને વ્યવસાયિક આવક સ્ત્રોત તરીકે સ્વીકાર્યું નથી

ProudOfGujarat

ભરૂચ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ શુટીગ વોલીબોલ ટુર્નામેન્ટ માં અંકલેશ્વર ની ટીમ વિજેતા બની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!