Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સંત શિરોમણી રૈદાસ અને યુગાવતાર ડૉ.આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

Share

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનાં ટુંડજ ગામે રહેતા રોહિત સમાજના ઈસમ નામે સુરેશભાઇ ડાહ્યાભાઇ વાઘેલા અગાઉ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. તેની રીસ રાખી ગામના પાંચથી છ જેટલા ઇસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી સુરેશભાઇને મારક હથિયારો સાથે હુમલો કરી જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સુરેશભાઇ એ કાવી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા આઈ.પી.સી કલમો તેમજ એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે અંગેનું આવેદનપત્ર ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું છે. ગુનેગારોને દાખલારૂપ સજા થાય તે માટે તેમજ ફરિયાદીને પોલીસ રક્ષણ આપવા આવેદનમાં જણાવેલ છે.

Advertisement

Share

Related posts

1 માસ બાદ મોદી ગુજરાત પ્રવાસે, 3 જિલ્લામાં લોકાર્પણ-ખાતમુહૂર્ત; લોકસભા ચૂંટણીના પ્રચારનું રણશીંગું ફુંકશે…

ProudOfGujarat

અમદાવાદ : ચિરિપાલ ગ્રુપ અને તેના સાથે સંકળાયેલા 40 જેટલા સ્થળોએ IT નો દરોડો.

ProudOfGujarat

ભરૂચમાં ચૂંટણી તૈયારીઓ તેજ :જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!