Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સંત શિરોમણી રૈદાસ અને યુગાવતાર ડૉ.આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

Share

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનાં ટુંડજ ગામે રહેતા રોહિત સમાજના ઈસમ નામે સુરેશભાઇ ડાહ્યાભાઇ વાઘેલા અગાઉ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. તેની રીસ રાખી ગામના પાંચથી છ જેટલા ઇસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી સુરેશભાઇને મારક હથિયારો સાથે હુમલો કરી જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સુરેશભાઇ એ કાવી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા આઈ.પી.સી કલમો તેમજ એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે અંગેનું આવેદનપત્ર ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું છે. ગુનેગારોને દાખલારૂપ સજા થાય તે માટે તેમજ ફરિયાદીને પોલીસ રક્ષણ આપવા આવેદનમાં જણાવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ: ઝઘડિયા તાલુકાના દઢેરા ગામે એક અજાણી યુવતીનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર…

ProudOfGujarat

ભરૂચના ભઠીયારવાડ ચોક વિસ્તારમાં ગાડીની ઓવરટેક કરવા બાબતે ધિંગાણું, ત્રણ ઘાયલ, ટોળા સામે ગુનો નોંધાયો

ProudOfGujarat

ભરૂચનાં ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓને હજારોનાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!