Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાગરા તાલુકાનાં દહેજના પંચવટી આશ્રમમાં પાણી અને ગેસના કનેશન માટે ધારાસભ્યને રજૂઆત.

Share

ભરૂચ જીલ્લામાં ઔદ્યોગિક વસાહત વિશ્વના નકશા અનેરું સ્થાન ધરાવે છે. ઔદ્યોગિક એકમોને કારણે દહેજ પંથકનો વિકાસ પણ આંખે ઉડીને બાઝે તેવો થયો છે અને આ વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રણા સમસ્યાના સમાધાન માટે સદા તત્પર રહેતા હોય છે.

વાગરા તાલુકાનાં દહેજમાં આવેલ પંચવટી આશ્રમમાં પીવાના પાણી તથા ગેસ કનેશનની અસુવિધા જોવા મળે છે. દહેજના સમસ્ત ગ્રામજનો દ્વારા વાગરા-151 ના ધારાસભ્યને લેખિતમાં ફરિયાદ કરી આશ્રમની અસુવિધા બાબતે વાકેફ કરી સમસ્યાનું સુખદ સમાધાન કરવા લેખિતમાં ફરિયાદ કરવામાં આવેલ છે.

Advertisement

ફરિયાદમાં જણાવ્યા અનુસાર દહેજમાં આવેલ પંચવટી આશ્રમમાં નર્મદા પરિક્રમાવાસીઓ જુદા-જુદા રાજયોમાંથી આવે છે તેમજ આજુબાજુના વિસ્તારમાંથી દર્શનાર્થીઓ પણ આશ્રમની મુલાકાતે આવતા હોય છે અને સમયાંતરે ધાર્મિક પ્રોગ્રામ થતાં હોય છે તેથી નર્મદા પરિકરમાવાસીઓ તથા ભકતો માટે પીવાના પાણીનું કનેકશન દહેજ ગ્રામ પંચાયત સરપંચ દહેજ દ્વારા કાપવામાં આવે છે તે ખૂબ જ દુખદ ઘટના છે જે બાબતે આપ સાહેબ ગંભીરતાથી તાત્કાલિક ધોરણે ઘટતું કરવા વિનંતી કરવામાં આવે છે અને સત્વરે પ્રશ્નનો નિકાલ કરવા જણાવવામાં આવે છે. સાથે-સાથે ઠૂંઠિયું ફળિયું શક્તિનગર વાડી ફળિયા ગેટ સુધીનો રોડ તથા ગટરલાઇન તાત્કાલિક અસરથી બનાવી આપવા માંગ કરી છે.


Share

Related posts

અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત દ્વારા નર્મદા જિલ્લા અધ્યક્ષ તરીકે પ.પૂ. સિધ્ધેશ્વર સ્વામીજીની નિમણૂક કરાઈ.

ProudOfGujarat

ભરૂચ કરમાડ ગામે મદીના પાર્કમાં રહેણાંક મકાનમાંથી જુગાર રમતાં 8 જુગારીઓને કુલ રૂ. 2 લાખ કરતાં વધુની મત્તા જપ્ત કરી ઝડપી પાડયા.

ProudOfGujarat

વડોદરા : શ્રી હરી બંગ્લોઝ – રેસિડેન્સીના રહેવાસીઓ દ્વારા લઘુમતી સમાજની સોસાયટીના બાંધકામને અટકાવવા કલેકટર સમક્ષ માંગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!