Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના રાજપારડીમાં વરસાદ બંધ થયા બાદ વીજ વિભાગે વીજપોલોની ચકાસણી કરી.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં આજે દિવસ દરમિયાન વરસાદે વિરામ લેતા રાજપારડી વીજ કંપનીના ઇજનેર ડેવીડ વસાવાના માર્ગદર્શન હેઠળ નગરજનોની સલામતી અને સુરક્ષા માટે વીજ કર્મીઓએ નગરના તમામ વીજપોલ પર કરંટ ઉતરે છે કે કેમ તેની ચકાસણી કરી હતી. વધુમાં જણાવાયુ હતુ કે જો કોઇ ઠેકાણે વીજફોલ્ટ અથવા કોઇ ક્ષતિ જણાય તો લોકોએ રાજપારડી વીજ કચેરીનો સંપર્ક કરવો. હાલ ચોમાસાની સિઝન હોઇ વરસાદી પાણીથી વીજપોલો તેમજ વીજતારો ભીના થતાં કોઇવાર કરંટ ઉતરતો હોય છે. તેમજ કોઇવાર વીજતારો જમીન પર પડેલા જણાય તેવા સંજોગોમાં નગરજનોએ આવા ભીના વીજ ઉપકરણોથી દુર રહી વીજ કચેરીને જાણ કરવી એમ અનુરોધ કરવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલ : ધારાસભ્ય સી.કે.રાઉલજીને ધમકી આપનાર પ્રવિણ ચારણને બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો.

ProudOfGujarat

લીંબડી તાલુકાના ટોકરાળા ગામે નર્મદા કેનાલ ઉપર 7 વ્યક્તિઓ ફસાઈ જતા રેસ્કયુ કરાયા

ProudOfGujarat

અંકલેશ્વરના જુના દિવાના વશી ફળીયામાં *લૂંટ વિથ મર્ડરની ઘટના* સામે આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!