Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના રાજપારડીમાં વરસાદ બંધ થયા બાદ વીજ વિભાગે વીજપોલોની ચકાસણી કરી.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં આજે દિવસ દરમિયાન વરસાદે વિરામ લેતા રાજપારડી વીજ કંપનીના ઇજનેર ડેવીડ વસાવાના માર્ગદર્શન હેઠળ નગરજનોની સલામતી અને સુરક્ષા માટે વીજ કર્મીઓએ નગરના તમામ વીજપોલ પર કરંટ ઉતરે છે કે કેમ તેની ચકાસણી કરી હતી. વધુમાં જણાવાયુ હતુ કે જો કોઇ ઠેકાણે વીજફોલ્ટ અથવા કોઇ ક્ષતિ જણાય તો લોકોએ રાજપારડી વીજ કચેરીનો સંપર્ક કરવો. હાલ ચોમાસાની સિઝન હોઇ વરસાદી પાણીથી વીજપોલો તેમજ વીજતારો ભીના થતાં કોઇવાર કરંટ ઉતરતો હોય છે. તેમજ કોઇવાર વીજતારો જમીન પર પડેલા જણાય તેવા સંજોગોમાં નગરજનોએ આવા ભીના વીજ ઉપકરણોથી દુર રહી વીજ કચેરીને જાણ કરવી એમ અનુરોધ કરવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

વિરમગામ પંથકમાં કુલ 354 મતદાન મથકો પર 300 થી વધુ દિવ્યાંગ મતદારોના સહાયક બન્યા આરોગ્ય કર્મચારીઓ…

ProudOfGujarat

ભરૂચ માં અમિત શાહ ની સભાં પૂર્વે કોંગ્રેસ અગ્રણી અને રાજપૂત યુવાનોની અટકાયત નો મામલો ચીફ ચૂંટણી કમિશનર સુધી પહોંચ્યો

ProudOfGujarat

અમદાવાદમાં પીએમ મોદી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવશે, હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા, જાણો આજની તૈયારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!