Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના રાજપારડીમાં વરસાદ બંધ થયા બાદ વીજ વિભાગે વીજપોલોની ચકાસણી કરી.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં આજે દિવસ દરમિયાન વરસાદે વિરામ લેતા રાજપારડી વીજ કંપનીના ઇજનેર ડેવીડ વસાવાના માર્ગદર્શન હેઠળ નગરજનોની સલામતી અને સુરક્ષા માટે વીજ કર્મીઓએ નગરના તમામ વીજપોલ પર કરંટ ઉતરે છે કે કેમ તેની ચકાસણી કરી હતી. વધુમાં જણાવાયુ હતુ કે જો કોઇ ઠેકાણે વીજફોલ્ટ અથવા કોઇ ક્ષતિ જણાય તો લોકોએ રાજપારડી વીજ કચેરીનો સંપર્ક કરવો. હાલ ચોમાસાની સિઝન હોઇ વરસાદી પાણીથી વીજપોલો તેમજ વીજતારો ભીના થતાં કોઇવાર કરંટ ઉતરતો હોય છે. તેમજ કોઇવાર વીજતારો જમીન પર પડેલા જણાય તેવા સંજોગોમાં નગરજનોએ આવા ભીના વીજ ઉપકરણોથી દુર રહી વીજ કચેરીને જાણ કરવી એમ અનુરોધ કરવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

અમદાવાદનાં હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા વિપક્ષની માંગ

ProudOfGujarat

સુરતના ચોક બજાર ખાતે કોંગ્રેસ દ્વારા CAA ના વિરોધમાં ધરણા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા સેવા સત્તા સમિતિ દ્વારા લીગલ સર્વિસીસ ડે ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!