Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડીયાદ જિલ્લામાં કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ આપવાનો આજથી પ્રારંભ.

Share

કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમૃતકાળ પ્રસંગે તા.૧૫ જુલાઇથી ૭૫ દિવસ સુધી દેશભરમાં ૧૮ થી ૫૯ વર્ષની વયના લોકોને કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાની શરૂઆત કરી છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, આર.સી.એચ.ઓ. દ્વારા સંતરામ બાગ,અર્બન હેલ્થ સેન્ટર નડીયાદ વેક્સિન સેન્ટરની મુલાકાત લેવામા આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વધુમાં વધુ લાભાર્થી વેક્સિનનો લાભ લે તે માટે જાહેર અપીલ કરવામાં આવી છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર તા. ૧૫ મી જુલાઇ, ર૦રર થી ૭૫ દિવસ સુધી એટલે કે તા. ૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી જ આ સુવિધા ઉપલબ્ધ રહેશે. એટલું જ નહિં, ૧૮-૫૯ વર્ષની વયજુથના અને બીજા ડોઝના ૬ મહિના પૂર્ણ થઇ ગયા હોય તેવા લોકો જ આ પ્રિકોશન ડોઝ માટે એલીજીબલ ગણાશે. આજે ખેડા જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે રસીકરણના પ્રથમ દિવસે જ વિવિધ તાલકાઓમાં થઈ કુલ ૫૧૦૦ જેટલી વ્યક્તિઓએ સાંજે ૪.૦૦ કલાક સુધી રસીકરણ કરાવેલ છે.

Advertisement

રાજ્યના આરોગ્ય વિભાગે આ હેતુસર અંદાજીત ૩૫૦૦ કોવિડ વેક્સિનેશન સેન્ટરો પર ૧૫ હજારથી વધુ આરોગ્યકર્મીઓ દ્વારા રસીકરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરેલી છે. આ અભિયાન માટે કોવિશિલ્ડ વેક્સિનના અંદાજે ૩.૫૦ કરોડ ડોઝ અને કોવેક્સિનના ૫૦ લાખ ડોઝ ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

જંબુસર: નગરના રોડ પ્રશ્ને શહેર અને તાલુકાના જાગૃત નાગરિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું..

ProudOfGujarat

ભરૂચનાં હુશેનીયા રેલવે ક્રોસિંગ પાસેથી કિશોરીનું અપહરણ, બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદમાબેનના કાર્યાલયનું ઉદઘાટન …!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!