Proud of Gujarat
FeaturedGujaratINDIA

દારુબંધી છે તેવા ગુજરાતમાં બરવાળાની અંદર લઠ્ઠાકાંડમાં મૃત્યુ આંક 27, હજુ પણ 43 સારવાર હેઠળ.

Share

બરવાળાના રોજિદ ગામે અત્યારે માતમ છવાઈ ગયો છે. કેમ કે, ઝેરી દારુ પીવાના મામલે અત્યારે 27 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં એક બાજુ કહેવામાં આવી રહ્યું છે કે દારુબંધી છે ત્યારે આ દારુબંધીમાં દેશી દારુના અડ્ડાઓ ઠેર ઠેર ધમધમી રહ્યા છે. આ પણ લઠ્ઠાકાંડમાં એક પછી એક લોકોના મોત થઈ રહ્યા છે. પરંતુ કાગળ પર જ દારુબંધી છે. અત્યારે લઠ્ઠાકાંડના મામલે અમદાવાદ, ધંધુકા, ભાવનગર સહીતની હોસ્પિટલોમાં ઝેરી દારુ પીનાર લોકોને એડમિટ કરવામાં આવી રહ્યા છે.

ગઈકાલે જે મૃતકોના પીએમ રીપોર્ટ મોકલવામાં આવ્યા હતા તેમાં મિથાઈલ આલ્કોહોલનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવી રહ્યું છે. મોતનો માતમ અત્યારે આ મામલે જોવા મળી રહ્યો છે. અત્યારે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં કેટલા દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. જેમની હાલત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે અત્યારની પરિસ્થિતિમાં 43 થી વધુ દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં એડમિટ છે. દેશી દારુના હબ મનાતા નભોઈ લઠ્ઠાકાંડ માટે એપી સેન્ટર સાબિત થઈ શકે છે.

Advertisement

ઝેરી દારુની ગંભીર અસરો હજૂ પણ જોવા મળી રહી છે. ત્યારે વધુ તપાસ આ દિશામાં હાથ ધરવામાં આવશે. ઝેરી દારુ કાંડની સઘન તપાસ કરવામાં આવશે અને તેમાં તમામ પ્રકારની વિગતો મેળવી રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. પોલીસે અત્યારે અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં કેટલાકની આ મામલે ધરપક કરી હોવાની વિગતો પણ મળી રહી છે.


Share

Related posts

ભરૂચ SOGની કાર્યવાહી: સેવાશ્રમ રોડ પરથી હથિયાર સાથે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો

ProudOfGujarat

ઓપેલ કંપનીના પાર્કિંગ પાસે કારની ટક્કરે સુપરવાઇઝર ઘવાયો દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

ProudOfGujarat

ઝધડીયા તાલુકાનાં ભાલોદ ગામ પાસે નર્મદા નદીમાં મગર જણાતા ભયનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!