Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ નર્મદા નદીમાંથી અજાણ્યા ઇસમનો ડી કંપોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો…!

Share

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેથી પસાર થતી નર્મદા નદીમાં અવારનવાર અજાણ્યા મૃતદેહ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે, નદીના વહેણમાં કોઈ કારણસર ડૂબી જવાથી મોત પામતા લોકોના મૃતદેહ આખરે ડી કંપોઝ હાલતમાં નદી કાંઠાના જે તે વિસ્તારોમાંથી મળી આવે છે, જેમાં આજે સવારે વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો.

ભરૂચ શહેરના દાંડીયા બજાર વિસ્તારમાં આવેલ નદી કાંઠાના વિસ્તારમાં આજે સવારે અજાણ્યા ઇસમનો ડી કંપોઝ હાલતમાં મૃતદેહ મળ્યો હોવાની જાણ સ્થાનિક સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીને થતા તેઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ મામલા અંગેની જાણ પોલીસ વિભાગને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી તેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલા અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

તાપી જિલ્લાના વ્યારા ખાતે પ્રથમ શિક્ષિકા મહિલા માતા સાવિત્રીબાઈ ફૂલેની 192 મી જન્મજયંતીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ‘ગુડી પડવા’ પર્વની ભાવભીની ઉજવણી, પરંપરાગત રીતિ-રિવાજો સાથે નવા વર્ષનું સ્વાગત

ProudOfGujarat

ભાવનગર જિલ્લાના જેસર અને તળાજા તાલુકા માં કડાકા ભડાકા સાથે વરસાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!