Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ ધોવાતા લોકોની મુશ્કેલી વધી.

Share

ચાલુ સાલે સમગ્ર રાજ્યમાં થયેલ મુશળધાર વરસાદને લઇને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. રાજ્યમાં મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થયું હોવાની વાતો સપાટી પર આવી છે, ત્યારે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા માર્ગનું પણ મોટાપ્રમાણમાં ધોવાણ થયું છે. માર્ગ ધોવાઇ જતા મટીરીયલ છુટુ પડી જતા હવે તેમાં વરસાદનું પાણી ભેગુ થતાં કાદવ કિચ્ચડ ફેલાતો જોવા મળી રહ્યો છે. તાલુકામાંથી પસાર થતો આ ધોરીમાર્ગ ધોવાતા હાલ તો જનતા મુશ્કેલીમાં મુકાઇ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : બિસ્માર રસ્તાઓ બાબતે આમ આદમી પાર્ટી ભરૂચ એકમ દ્વારા જીલ્લા કલેકટર, નગરપાલિકા અને PWD તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

ઉમરપાડા પોલીસે યાર્નનાં ત્રીસ બોક્ષ સાથે પીકઅપ ગાડી અને બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

ProudOfGujarat

રેન્જ આઈ જી અને સુરત જીલ્લા પોલીસ વડાએ માંગરોળ – ઉમરપાડાની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!