Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડના વાગલધારા હાઈવે બ્રિજ પર ખાડા પડવાથી વાહન ચાલકો ત્રાહિમામ.

Share

રાજ્ય સરકાર વિકાસની વાતો કરી રહી છે ત્યારે વલસાડ હાઈવે પર કમરતોડ ખાડા સાથે વલસાડ જિલ્લામાં અકસ્માતમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે અને અનેક લોકોએ હોસ્પિટલમાં જવાનો પણ વારો આવ્યો છે જ્યારે વાત કરીએ તો વલસાડના વાઘલધરા પાસે બ્રિજની હાલત જોવામાં આવે તો ખબર પડશે કે કેવો વિકાસ છે હમણાં જ સરપંચો એ પણ આવેદનપત્ર આપ્યા હતા કે રસ્તા સારા થાય પણ તત્રં વાધલધરા પાસેના બ્રિજની પરિસ્થિતિ જોશો તો તેને ખબર પડશે કે આ હાઇવે નથી પણ મોતનો કૂવો છે, પણ કામ કરે કોણ તે પ્રશ્ન ઊભો થાય છે. વિકાસ મોડેલની વાતો વચ્ચે વલસાડના વાગલધારા હાઈવે બ્રિજ પાસે ‘સ્માર્ટ ‘ ખાડા છે પણ રાજકીય પાર્ટીઓ ચૂંટણીમાં વ્યસ્ત છે પ્રજાની પીડા ભૂલાઇ છે, વિકાસના નામ બડે, દર્શન છોટે તેવા હાલ છે આ રસ્તા પર મંત્રી જાય તો તેની પણ કમર તૂટે તેવા રસ્તા છે કમરના મણકા ખસી જાય તેવા રસ્તાથી પ્રજા ત્રસ્ત છે પણ આ રસ્તાની મુખ્યમંત્રી નોંધ લે તો રસ્તાનું કામ થશે તેવી ચર્ચા છે.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

ગોધરા નગરપાલિકા દ્વારા નાગરીકોને બાકી વેરો ભરી જવા કરી અપીલ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ખેડૂતો જોગ : નવીન આઈખેડૂત પોર્ટલ ૧૫ મે સુધી ખુલ્લુ મુકાયુ

ProudOfGujarat

અંકલેશ્વરની ૩.૫૦ કરોડ રૂ. ની લુટ મામલે ઇન્કમટેક્સ ક્યારે જાગશે..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!