Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ પર ઉડતી ધુળના કારણે વાહનચાલકોના સ્વાસ્થ્ય પર જોખમ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા માર્ગની ચાર માર્ગીય કામગીરી લાંબા સમયથી ખોરંભે પડતા માર્ગ બિસ્મારતાની હદ વટાવી રહ્યો છે. હાલ ચોમાસા દરમિયાન થયેલ વ્યાપક મેઘવર્ષાથી ઠેરઠેર માર્ગોનું ધોવાણ થયુ છે, તેમાં આ ધોરીમાર્ગ પણ ધોવાયો છે. હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં આ ધોરીમાર્ગ પર દોડતા વાહનોને કારણે ધુળના ગોટેગોટા ઉડતા નજરે પડે છે. આને લઇને પાછળ આવતા વાહનચાલકોના શ્વાસમાં ધુળ જતા તેની અસર રાહદારીઓના સ્વાસ્થ્ય પર પડવાની પણ સંભાવના છે. ધુળના કારણે પાછળ આવતા રાહદારીઓને પડતી અડચણ દુર થાય તેવું રાહદારીઓ ઇચ્છી રહ્યા છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ગણતંત્ર દિન નિમિત્તે શહેરમાં અદભૂત લાઇટીંગનો ઝગમગાટ

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે સ્થાનિક વેપારીઓને હટાવવા મામલે વિરોધ બાદ સ્થાનિકોએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી.

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે રેલવે ગોદી રોડ ઉપરથી ઈંગ્લીશ બનાવટની વ્હીસ્કીનાં પાઉચ સહીત 12 હજારના જથ્થા સાથે એક બુટલેગરની અટકાયત કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!