Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : નેશનલ હાઇવે નોબલ માર્કેટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાનિ નહિ.

Share

ભરૂચ જિલ્લાના હાઇવે ઉપર અકસ્માતોની સતત ઘટનાઓ બની રહી છે. વડોદરા, સુરત વચ્ચેનો હાઇવે વિસ્તાર અકસ્માત ઝોન બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, અંકલેશ્વર હાઇવે વિસ્તારમાં છાશવારે અકસ્માત સર્જાઈ રહ્યા છે, તેવામાં વધુ એક અકસ્માતની ઘટના અંકલેશ્વરના નોબલ માર્કેટ ખાતેથી સામે આવી રહી છે, જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા સદનસીબે ઘટનામાં કોઈ કોઈ જાનહાની થવા પામી ન હતી.

અકસ્માતની ઘટનાના કારણે એક સમયે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા,જે બાદ હાઇવે ઉપર ગાડીઓની લાંબી કટાર જોવા મળી હતી, જોકે ટ્રાફિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ અકસ્માત થયેલ બંને ટ્રકોને ક્રેનની મદદથી રસ્તા ઉપરથી સાઇડ પર ખસેડી માર્ગને ખૂલ્લો કરવામાં આવતા ટ્રાફિઓ હળવો થયો હતો.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

માંગરોળ વિધાનસભાના સંયોજક ભાજપ નેતા દીપક વસાવાને બનાવાયા

ProudOfGujarat

લીંબડી ઓનેસ્ટ હોટલ નજીક રીક્ષા અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

શહેરા પંથકમા રિટાયર્ડ પોલીસકર્મીઓએ લાલચમાં આવી નાણા રોકતા પસ્તાવાનો વારો આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!