Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત પૌરાણિક રાધા વલ્લભ મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

200 થી પણ વધુ વર્ષ જુના રાધા વલ્લભ મંદિર ખાતે પ્રતિ વર્ષ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં શ્રીકૃષ્ણના જન્મ બાદ વહેલી પરોઢે હિંડોળા તેમજ શણગાર સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કેસર સ્નાન સહિતના ધાર્મિક વિધિ વિધાન બાદ હિંડોળાના દર્શન માટે અંકલેશ્વરના ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભગવાનને હિંડોળે ઝુલાવીને કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

નેત્રંગ પંથકમાં સગીરા સાથે નરાધમે દુષ્કર્મ આચરતા ચકચાર,પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી..!!

ProudOfGujarat

અંકલેશ્વરની આર.કે.એન્જીનિયરીંગ કંપનીના ગોડાઉનમાં થયેલ ચોરીનો મામલો સામે આવ્યો.

ProudOfGujarat

રાજપીપળા જનરલ હોસ્પિટલમાં એચઆઇવી પીડિતોને બર્ક ફાઉન્ડેશન દ્વારા ન્યુટ્રિશિયન કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!